રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તાપી જિલ્લાને દિવાળી પુર્વે આપી રૂ.૨૧૯૨ કરોડથી વધુના જનહિતલક્ષી પ્રક્લ્પોની ભેટ :

કરોડોના વિકાસકામો દીપાવલી પર્વમા વનબંધુઓના ઘરોમા વિકાસના દીવડા પ્રગટાવશે: -મુખ્યમંત્રીશ્રી

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી : 

વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીએ તાપી જિલ્લાને દિવાળી પુર્વે આપી રૂ.૨૧૯૨ કરોડથી વધુના જનહિતલક્ષી પ્રક્લ્પોની ભેટ :

ગુણસદા ખાતે વડાપ્રધાનશ્રીની જનસભામા ઉમટયો માનવ મહેરામણ :

ગિરિમથક સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરીનો કરાવ્યો શુભારંભ :

તાપી તથા નર્મદા જિલ્લાના પાણી પુરવઠાને લગતા ચાર કાર્યોનુ ખાતમુહૂર્ત :

સુરત તથા તાપી જિલ્લાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૧૧ કાર્યોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયુ :

: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :

કરોડોના વિકાસકામો દીપાવલી પર્વમા વનબંધુઓના ઘરોમા વિકાસના દીવડા પ્રગટાવશે: 

રાજ્યના આદિજાતિ બેલ્ટમા નિર્માણ પામનાર ચાર ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક આદિજાતિ યુવાનોને રોજગારીના નવા અવસરો પૂરા પાડશે:

વડાપ્રધાનશ્રીએ ગુજરાતમા ડબલ એન્જિન સરકાર જે રીતે તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી, ગુજરાતના આદિવાસી પ્રદેશના વિકાસ સાથે આદિવાસી જનજીવનમા બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમા મૂકવામા આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી, છેલ્લા ૨૦ વર્ષમા ગુજરાતમા આવેલા વિકાસલક્ષી બદલાવ, અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતુ.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.૨૧૯૨ કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક અપરંપાર માનવ મહેરામણના આશિર્વાદ અહી મળ્યા છે તેમ જણાવી, સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રજાજનોના આશિર્વાદ અને વિશ્વાસથી ડબલ એંજિન સરકારને નવી પ્રેરણા, ઊર્જા, સામર્થ્ય, અને સંઘર્ષ કરવાની શક્તિ મળી છે. આદિવાસી સમાજની અવગણના કરનારી ભૂતકાળની સરકારે જે અન્યાયો કર્યા છે તેને નરેંદ્ર્ભાઇ અને ભુપેંદ્ર્ભાઇની ડબલ એંજિન સરકારે

સબકા સાથ, સબકા પ્રયાસ અને સબકા વિકાસના મંત્રને મુર્તિમંત કરી આદિવાસી સમાજના ઉત્કર્ષનો નવો માર્ગ ડબલ ઇચ્છાશક્તિથી કંડાર્યો છે. 

આદિવાસી જીવન ધોરણ સરળ કરવાની દિશામા અન્યાય કરતા કાયદાઓમા સુધારા કરી, તેમનુ જીવન ધોરણ સરળ કરવામા સિમાચિન્હરૂપ કામગુરી કરી છે. સાથે સોનાની લગડી સમાન આયુષ્યમાન કાર્ડની ભેટ ગરીબ વર્ગને આપી છે.

આદિવાસી ક્ષેત્રોમા કુપોષણની સમસ્યાના કાયમી નિવારણ માટે દુધ સંજિવની યોજના, ફોર્ટીફાઇડ અનાજ વિતરણ, સ્વાસ્થ્ય કેંદ્રોની સેવાઓ માટેની સુદ્રઢ નીતિઓ અમલી બનાવી છે તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

કોરોના મહામારી સમયથી દેશના ૮૦ કરોડ લોકોને રૂ.૩ લાખ કરોડના ખર્ચે અઢી વર્ષ સુધી મફત અનાજ આપવા સાથે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામા મફત ગેસ જોડાણ, એક્લવ્ય મોડેલ સ્કૂલો અને આદિવાસી ક્ષેત્રમા વૈશ્વિક સુવિધાઓ ધરાવતી ૪૦૦૦ જેટલી મિશન સ્કૂલ ઓફ એક્સલંસ, વિજ્ઞાન શાળાઓ અને કોલેજો, વાડી યોજના, હર ઘર નલ અને નલ સે જલ યોજના, સિંચાઇ સુવિધા, આવાસ, જમીનના હક્કો જેવા કાર્યોએ આદિવાસી સમાજની ભાવી પેઢીને સમ્રુદ્ધિની દિશામા માર્ગ કંડારી આપ્યો છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

પાછલા વીસ વીસ વર્ષોથી વિકાસથી વંચિત રખાયેલા આદિવાસી ક્ષેત્રમા સેંક્ડો કરોડો રૂપિયાના વિકાસના નવા પ્રકલ્પોના નિર્માણ સાથે આ વિસ્તારમા પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ સર્જન થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ. 

આદિવાસી સમાજના વડિલોએ વેઠેલી મુશ્કેલીઓ નવી પેઢિના સંતાનોએ ના ભોગવવી પડે તે માટે ડબલ એંજિન સરકાર નક્કર આયોજન સાથે આગળ વધી રહી છે, તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ આદિવાસી સમાજના લોકોને ચુંટણી ટાણે ખોટા વાયદાઓ કરીને ગુમરાહ કરતા લોકોને પ્રજા સારી પેઠે ઓળખે છે તેમ ઉમેર્યુ હતુ.

આદિવાસી કલ્યાણને સમર્પિત સરકારે આદિવાસી માતાપિતાના સંતાન એવા ગુજરાતના આદિવાસી નેતા શ્રી મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવાનો મોકો આપવા સાથે, આદિવાસી પરિવારની દિકરીને પણ રાષ્ટ્રપતિ પદે આરૂઢ કર્યા છે તેમ જણાવ્યુ હતુ.

વડાપ્રધાનશ્રીએ આદિવાસી સમાજને ગૌરવ અપાવનારા આઝાદીના લડવૈયાઓના સાહસ અને બલિદાનની ચિર:સ્મૃતિના સંગ્રહાલયો ભાવિ પેઢિને પ્રેરણા આપતા રહેશે. આદિવાસીઓના ગૌરવને વધુ ગરિમામય બનાવવા ૧૫મી નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજ્વવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આદિવાસી કલ્યાણ મંત્રાલય બાબતે પણ વડાપ્રધાન શ્રી નરેંદ્ર્ભાઇ મોદીએ વધુ જાણકારી આપી હતી.

*મુખ્યમંત્રીશ્રી*

રાજ્યના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બહૂલ વિસ્તારોમા દિવાળી પૂર્વે જ વિકાસનો ઉન્નત ઉજાશ પથરાયો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલે પ્રકૃતિ-સંસ્કૃતિ અને પ્રગતિને વરેલી ડબલ એંજિન સરકારે વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ ના માધ્યમથી પાયાકિય સુવિધાઓ ઉભી કરીને આ વિસ્તારોની કાયાપલટ કરી છે તેમ જણાવ્યુ હતુ.

દેશની આઝાદીના અમૃત કાળમા શિક્ષણ, આરોગ્ય, માર્ગ, રોજગાર, પ્રવાસન, પાણી, વીજળી, સિંચાઇ સાથે અમૃત સરોવરોના નિર્માણ થકી આ વિસ્તારમા વિકાસનો અચો અમૃતકાળ સાબિત થશે તેમ પણ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ આદિવાસી બંધુઓને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડી સર્વ સમાવેશક સમાજના વિકાસનુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યુ તેમ ગુણસદા ખાતે ભારપૂર્વક જણાવ્યુ હતુ.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ થકી આ દીપાવલી પર્વમા વનબંધુઓના ઘરોમા વિકાસના દીવડા પ્રજ્વલિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

આદિજાતિ સમુદાયના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનુ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમા ૧૦૨ મોડેલ અને રેસિડેન્શીયલ શાળાઓ તથા આદિજાતિ યુવાનોના કૌશલ્યવર્ધનથી તેઓ આત્મનિર્ભર બન્યા છે. ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમા રૂ. ૧૨૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર ટ્રાયબલ ઔદ્યોગિક પાર્કના નિર્માણ થકી આદિજાતિ યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એમ પણ તેમણે જણાવ્યુ હતુ.         

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યુ કે, રૂ.૨૧૯૨ કરોડના માતબર વિકાસ કાર્યોએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાને સતત વિકાસના પ્રવાહમા જોડવાની વધુ એક કડી છે. એકલવ્ય સ્કૂલમા પ્રત્યેક બાળક પાછળ રૂ.૧.૦૯ લાખનો ખર્ચ કરી રાજ્ય સરકાર તેના સર્વાંગી અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીની કાળજી લઈ રહી છે. વનબંધુ કલ્યાણ યોજનાના માતબર બજેટને કારણે તમામ આદિવાસી વિસ્તારોમા શહેર સમકક્ષ વિકાસ શક્ય બન્યો છે, એમ જણાવતા મંત્રીશ્રીએ રાજ્ય સરકારની વિકાસનીતિ અને જનહિતના નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી. 

આ અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમા રોડ, રસ્તાઓ, વીજળી, સિંચાઈ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. સાપુતારા અને એકતાનગરને જોડતો હાઈવે કોરિડોર પ્રોજેક્ટ દિવાળી પર્વ પહેલા દક્ષિણ ગુજરાતને મોટી ભેટ સમાન છે. જે પ્રવાસનના વિકાસની પથરેખા સાબિત થશે. ગરીબ અને આદિવાસી પરિવારના દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના સર્વોચ્ચ હોદ્દા પર સ્થાન આપીને દેશના આદિવાસી બંધુઓનુ દિલ જીતી લીધુ છે એમ તેમણે ઉમેર્યું હતુ.

આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ, સાંસદ સર્વશ્રી પ્રભુભાઈ એન.વસાવા  ડો.કે.સી.પટેલ, મનસુખભાઈ વસાવા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય સર્વશ્રી ગણપતસિંહ વસાવા, મોહનભાઈ ઢોડિયા, વિજયભાઈ પટેલ, ધારાસભ્ય પુનાજીભાઈ ગામિત, ધારાસભ્ય સુનિલભાઈ ગામિત અને સોનગઢ નગરપાલિકા પ્રમુખ  ટપુભાઈ ભરવાડ, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયા, પોલિસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહ પટેલ, તાપી જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ડો.જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદિપ દેસાઈ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને જંગી જનમેદની ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है