રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ફરજિયાત ચકાસણી કરાશે:- રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર,

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ફરજિયાત ચકાસણી કરાશે:- રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર,

સરકારના ઉદ્દેશ્યો તેના વપરાશકર્તાઓ માટે ખુલ્લું, સલામત અને વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ સુનિશ્ચિત કરવાનો છે. સરકાર ખોટી માહિતી, બૉટ્સ, ગુનાખોરી અને સામાન્ય રીતે વપરાશકર્તાઓને નુકસાનની વધતી જતી ઘટનાઓ દ્વારા ઊભા થતા ભય અને જોખમથી વાકેફ છે.

તેના યુઝર્સ માટે ઓપન, સેફ અને ટ્રસ્ટેડ અને એકાઉન્ટેબલ ઈન્ટરનેટ સુનિશ્ચિત કરવા માટે, સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 (“IT નિયમો 2021”) ને સૂચિત કર્યા છે. ઉપરોક્ત નિયમોના નિયમ 4(7) મુજબ, નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ્સને સ્વેચ્છાએ ચકાસવા માટે સક્ષમ બનાવશે અને આવા વપરાશકર્તાઓના એકાઉન્ટ્સને ચકાસણીના દૃશ્યમાન ચિહ્નો પ્રદાન કરવામાં આવશે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિભાગના રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है