મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા નાં બંટાવાડી ગામે શિક્ષણ નો બન્ટાઘાટ વાળતા શિક્ષકો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા નાં બંટાવાડી ગામે શિક્ષણ નો બન્ટાઘાટ વાળતા શિક્ષકો

“મીડિયા” ની ટીમે બંટાવાડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા શિક્ષકોની ગેરહાજરી સાથે ઘોર બેદરકારી જોવા મળી !!!!

શિક્ષકો પોતાના શાળા બંધ કરવા ના નિર્ધારિત સમય થી 35 મિનિટ પહેલાજ પોતાના ઘરે જવા રવાના થયાનુ બાળકો નુ નિવેદન.!!!

શિક્ષકો વગર શાળા ચાલુ શાળા ના તમામ ઓરડાઓને ખંભાતી તાળા જોવા મળ્યા: બાળકો રમતા નજરે પડ્યા અનેક શાળા ના ઓટલા પર બેઠેલા જણાયા..

આદિવાસી વિસ્તારોમાં બાળકો નું શિક્ષણ કોના ભરોશે? શું આવી રીતે ભણશે ગુજરાત??

સર્જન વસાવા, દેડીયાપાડા: નર્મદા જીલ્લા મા આદિવાસી વિસ્તારોમાં મા શિક્ષણ ને લગતી સમસ્યાઓ સમયાંતરે પ્રકાશ મા આવતી હોય છે, ક્યાંક શિક્ષકો વગર ચાલતી શાળાઓ તો ક્યાંક શાળાના જર્જરિત મકાનો મા જીવના જોખમે અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકો અને આ બધું કેન્દ્ર સરકાર ના એસ્પીરશનલ નર્મદા જીલ્લા મા બની રહ્યું છે, તેમાંય આ ઓછું હોય તેમ હવે નર્મદા જીલ્લા ના પ્રાથમિક શિક્ષણ વિભાગ માં ફરજ બજાવતા શિક્ષકો શાળા મા બાળકો ને રામ ભરોસે છોડી પોતાના નિર્ધારિત સમય કરતા વહેલા ઘરે ચાલી નીકળતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વાત છે નર્મદ જીલ્લા ના દેડિયાપાડા તાલુકાના બંટાવાડી ગામની કે જ્યાં પ્રાથમિક શાળામાં ફરજ પર તેનાત શિક્ષકો પોતાના શાળા બંધ કરવાના નિર્ધારિત સમય કરતા 35 મિનિટ પહેલાજ શાળા ના તમામ ઓરડાઓ બંધ કરી પોતાના ઘરે ચાલી નીકળે છે અને આદિવાસી સમાજના બાળકો ના શિક્ષણ નો બન્નટાઘાંટ વાળી રહ્યા છે. દેડીયાપાડા પાસે ના બંટાવાડી ગામ ની પ્રાથમિક શાળા ની આજરોજ સવારે 10:55 કલાકે મીડિયા કર્મીઓ ની ટીમે મુલાકાત લેતા શાળા ના તમામ ઓરડાઓ તાળા મારેલ જોવા મળ્યા હતા, અને કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓ શાળા ના ઓટલા પર બેઠા હતા અને કેટલાક શાળા ના કંપાઉન્ડ માં કોટ ઉપર ચઢી રમત રમતા નજરે પડ્યા હતા જેથી આ બાળકો ને પૂછતા શિક્ષક શાળા મા આવ્યા તો હતા તેમને ભણાવ્યા પણ હતા પરંતુ શાળા બંધ કરી વહેલા ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. શાળા મા ત્રણ ત્રણ શિક્ષકો ફરજ બજાવતા હોય અને તે પૈકી એક પણ શિક્ષક શાળા મા હાજર ન હોય તો બાળકો કોના ભરોસે???? શાળા બંધ થવાનો સમય 11:30 કલાક નો નિર્ધારિત કરવામાં આવ્યો છે ત્યારે બન્તાવાડી ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો કેમ શાળા બંધ કરવા ના સમય પેહલા ઘરે ચાલ્યા ગયા???? બાળકો ને શાળા માં એકલા કોને ભરોસે છોડ્યા???

આવા ગુલ્લેબાજ શિક્ષણ નો બન્તાઘાટ કરતા શિક્ષકો આદિવાસી સમાજના બાળકો ને શું ભણાવશે??? શાળા મા પુરતા સમય સુધી શિક્ષકો કેમ રહેતા નથી???? શાળા ને સમય પેહલા તાળા મારી બાળકો ને ઓટલા પર બેસાડી એકલા છોડી શિક્ષકો કેમ ઘરે ચાલ્યા જાય છે??? આવા શિક્ષકો ઉપર કેમ કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી???? શું આ રીતે ભણશે ગુજરાત ????

આવા શિક્ષકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને ડીસમિસ કરવામાં આવે એવી ગ્રામજનો પણ માંગ ઉઠાવી રહ્યા છે ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને સંપર્ક કરતા શાળા નો સમય હાલ 11:30 છૂટવાનો છે એમ જણાવ્યું હતું. પરંતુ મીડિયા ટીમ 10:55 પોહચતા તમામ ઓરડા ના બારણે ખંભાતી  તાળાઓ લાગ્યા હતા અને બાળકો બહાર કોટ (દીવાલ) પર અને શાળા કંપાઉન્ડ માં રમતા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે કોટ (દીવાલ ) પર રમતું બાળક નીચે પટકાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ??

આ મામલા ને નર્મદા જીલ્લા કલેક્ટર એસ કે મોદી સહિત જીલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત ના ઓ ગંભીરતાથી લે અને આવા શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા ભરે એવી લોકમાંગ કરી રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है