મારું ગામ મારાં ન્યુઝ

તાપીનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા વિશ્વ અન્ન દિનની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ વિશ્ર્વ અન્ન દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વ્યારા તાલુકાના વડકૂઈ, ખોડતળાવ અને ઉંચામાળા ગામના કુલ ૩૦ ખેડૂતભાઈઓ અને મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

સદર કાર્યક્રમ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા તા. ૧૬-૧૦-૨૦૨૦ના રોજ ૧૧:૦૦ વાગ્યે વિશ્ર્વ અન્ન દિનની ઉજવણી નિમિત્તે સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રના તમામ વૈજ્ઞાનિકશ્રીઓ અને જિલ્લાના ખેડૂતભાઈઓ અને મહિલાઓએ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત
ખેડૂત-મહિલાઓને આવકારી અનાજ સંગ્રહની વિવિધ વૈજ્ઞાનિક પધ્ધતિઓ અને ઉંદર નિયંત્રણ વિષે સમજ આપી હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ વિશ્ર્વ અન્ન દિનનું મહત્વ સમજાવ્યું હતું અને રાંધેલા ખોરાકનો બગાડ ના થાય તે માટે વધેલા ખોરાક માંથી વિવિધ વાનગીઓ બનાવી ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है