રાજનીતિ

કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના કાળમાં નિધન થયેલા આગેવાનના ઘરે જઈને કુટુંબીજનો ને શાંત્વના આપી;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ ડેલીગેટ ડો.ગંભીરસિંહ વસાવાનું તેમજ બક્ષીપંચ સેલ મહામંત્રી દીપક બોરસે ના પિતાનું નિધન કોરોના કાળમાં થયું હતું , તેઓ કૉંગ્રેસના આગળ પડતા કાર્યકર્તા તેમજ સામાજિક અગ્રણી હતા,જે બાબતે કોંગ્રેસ સમિતિએ પોતાના પરિવારને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે સાથે તેઓએ સમાજ માટે ઘણા એવા સમાજમાં જાગૃતિ અને સેવાના કાર્યો કર્યા , જે બાબતને કોંગ્રેસ સમિતિએ બિરદાવી તેમના ઘરે પોહચીને તેમના પરિવારને સાંત્વના આપી હતી.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા,નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્રભાઈ, સાગબારા તાલુકા પ્રમુખ મેહુલ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ,જિલ્લા સેવા સદન પ્રમુખ જોતિષભાઈ, દક્ષિણ ઝોન લોક રક્ષક ઇન્ચાર્જ પરેશભાઈ, તાલુકા પંચાયત સભ્યો અને અન્ય તાલુકાના કાર્યકર્તાઓએ હાજરી આપી પરિવારને સાંત્વના આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है