વિશેષ મુલાકાત

મમતા દિવસની ઉજવણી નિમિતે આંગણવાડી કેન્દ્ર ઝંખવાવ ખાતે ગણવેશ વિતરણ કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ 

મમતા દિવસની ઉજવણી નિમિતે આંગણવાડી કેન્દ્ર ઝંખવાવ ખાતે ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, 

સમગ્ર રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા,બાળ વિકાસનાં મંત્રી ગણપતસિંહ વસાવાનાં માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીના હસ્તકે ૪૦ જેટલા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશ થી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી ગણવેશ વિતરણ કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમ પ્રાર્થનાં બાદ ખુલ્લો મુકાયો હતો. ઝંખવાવ ગામની અલગ અલગ આંગણવાડીઓનાં કુલ ૪૦ જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતાં. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટનાં પેકેટ વિતરણ કરાયા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતી,તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ ગામીત, ભાજપનાં અગ્રણી શાંતિલાભાઈ વસાવા, સમીરભાઈ કડીવાલા, જીગ્નેશભાઈ નાઈ, સિડીપીઓ શાંતાબેન ચૌધરી અને આંગણવાડીના તેડાગર બહેનો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है