શું છે દિલ્હીનો કેશ નંબર ૧૦ ની એક મહિલાની બેદરકારીનો કિસ્સો ? દેશની રાજધાની દિલ્હીમાં એક મહિલાએ ૮ લોકોને કર્યા કોરોના સંક્રમિત તેથી ૮૦૦ લોકોને આયસોલેટ કરાયા છે, સારવાર કરનાર ડોક્ટરનું થયું મૃત્યુ! ડોકટરનો પરિવાર કોરોના સંકટમાં.. માટે સરકાર કહે છે “ઘરમાં રહો સુરક્ષિત રહો” સામાજિક દુરી બનાવી રાખવી ભારત જેવા દેશ માટે મોટી ચુનોતી તો દેશનાં નાગરિક તરીકે એ આપણી ફરજ બને છે કે લોકો દ્વારા ફેલાતા સંક્રમણની કડીને તોડીએ. માટે ઘરમાં રહીને લડીએ “કોરોના લડાય” હજુય જરૂરી છે ભારતને કોરોના વોરીયેર્સની
- આજે દિલ્હીમાં જોવાં મળી બહાર ગામનાં રાજ્યોનાં મજુરવર્ગ નોકરિયાતો નું પલાયન, લોકોની ઉમડી ભીડ સામાજિક દુરીના તોડ્યા નિયમો! સરકારે કરી પરિવહન માટે બસોની વ્યવસ્થા ત્યારે બસમાં તથા બસનાં છાપરે લોકો ચડી બેઠાં, લોકોને લોક ડાઉનમાં શાંત રહેવા કરી અપીલ, દિલ્હીમાં જ રોકાણ કરવાં આપી સુચના, દિલ્હીમાં ૩૨૫ સ્કૂલોમાં ૪ લાખ લોકો માટે કેજરીવાલ સરકારે ભોજનની સગવડ, ઉપલબ્ધ કરાય છે રેહવાની સગવડો, સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી સીશોદીયા લોકો મધ્યે પોહ્ચયા, રાહુલ ગાંધીએ ટ્વીટકરી સરકાર પર લગાવ્યા આરોપ, “પલાયન થતાં લોકોની જીમ્મેદારી સરકારની છે” લોકો માટે કોઈ જલ્દી કદમ ઉઠાવે સરકાર નહિ તો કોરોના મોટી ત્રાસદી નાં બની જાય! યોગી સરકારે ૧૦૦૦ બસોનું કર્યું આયોજન, આપણી ગુજરાત સરકાર કોનાં નિર્દેશની રાહ જુએ છે? પોલીસ પોતાની ફરજ સાથે નિભાવી રહી છે માનવતાં લોકોને ફક્ત લાઠી જ નથી ભોજન પેકેટ અને પાણી પૂરું પાડી રહી છે, ધન્યવાદ પોલીસતંત્ર હજુ ૧૮ દિવસ બાકી લોક ડાઉન નાં,
વિશ્વની કોરોના અપડેટ: ચીન કરતાં ઈટલી મૃત્યુ આંકમાં પ્રથમ ક્રમે અને સંક્રમિત લોકોમાં ન્યુયોર્ક ચીન ઇટલી કરતાં સૌથી આગળ અમેરિકામાં એક લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં, ૧૫૦૦થી વધારે મૃત્યુઆંક, સમગ્ર વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા ૬ લાખ થી વધારે સતત વધારો થઈ જ રહ્યો છે, પરંતુ આ વચ્ચે ચીનમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે, બ્રિટેનના પ્રધાનને કોરોના સંક્રમણ, વિશ્વની નામચીન હસ્તીઓ થયા કોરોના સંક્રમીત,
ભારતની કોરોના અપડેટ: ભારતમાં કુલ ૯૫૩ કોરોના મરીજ; હજારોને આયસોલેટ કરાયા, સંક્રમિત કોરોના વાયરસથી સાજા થયાં ૮૩ ને ઘરે મોકલાયા, જયારે મૃત્યુઆંક ૧૯ થયો,
ગુજરાત કોરોના અપડેટ: ગુજરાતમાં કુલ કોરોના મરીજ ૫૦ને પાર, ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે. આજે ગુજરાતમાં નવા ૬ કેસ સામે આવતાં ૫૪ પોઝિટિવ કેસ થયા છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. આ છ કેસોમાં અમદાવાદમાં 3, વડોદરામાં એક, ગાંધીનગરમાં એક અને મહેસાણામાં એક કેસ સામે આવ્યો છે. કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.ગઈ કાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા તેમાં 37 વર્ષના એક પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના 2 કેસ લોકલ ટ્રાન્સમિશન( લોક સંપર્ક થી સંક્રમિત થયેલાં)ના છે જેમાં 39 વર્ષના પુરુષ અને 33 વર્ષની મહિલા પણ છે. માટે ગુજરાતને સામાજિક દુરી રાખવી જરુરી થઇ પડે છે, દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.
દેશમાં કેરળ રાજ્ય સંક્રમિતમાં બીજા રાજ્યો થી આગળ, આજે વડાપ્રધાન મોદી કરશે પ્રજાજોગ સંભોધન ,,, “ઘરે રહશો તો કોરોના હારશે”