શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
અમદાવાદ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા ‘એએમ’ ડિવિઝનની કચેરીમાં 28મી જૂને પેન્શન અદાલત યોજાશે:
ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સે જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તા. 28/06/2021ના રોજ 15.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, આશ્રમ રોડ, અમદાવાદ-380009 કરવામાં આવેલ છે.
આથી, પોસ્ટ વિભાગ દ્વારા ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈપણ ફરિયાદ હોય તો તે તા. 21/06/2021 સુધીમાં શ્રીમતી પી. બી. શાહ, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, આર.એમ.એસ. ઓફિસ, અમદાવાદ-380009ને મળી જાય તે રીતે મોકલી આપવાની રહશે.