રાષ્ટ્રીય

દેડિયાપાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દેડિયાપાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી;

દેડિયાપાડા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની 393 મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. જેમાં ડી.જે નાં તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી,

જેમાં દેડિયાપાડા મહાદેવ મંદિર થી ચાર રસ્તા અને ત્યાંથી લીમડા ચોક સુધીમાં ગામના રહીશો દ્વારા ફૂલો ના વરસાદ સાથે સ્વાગત કરવા મા આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ  ઉજવણીના ભાગ રૂપે નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા પણ કરવામાં આવી હતી, સાથે શિવાજી મહારાજ ના જીવન પરિચય આપ્યો હતો. આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આખું વાતાવરણ જાણે ભગવા રંગમાં સમર્પિત થઈ ગયું હોય એમ લાગી રહ્યું હતું.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है