શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજરોજ તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કોટવાળીયા પરિવારો અને જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું.
સોનગઢ તાલુકાના ખેરવાડા, ભટવાડા અને આમલદી ગામમાં કોટવાળીયા, કાથુડ અને શેરડી કાપવાનું કામ કરતા મજુર પરિવારોને કમોશમી વરસાદ વચ્ચે પડતી કડકડતી ઠંડીમાં શિયાળાની સ્થિતિને ધ્યાને લઈ ‘લોક પરબ’ના સંયોજક જેતસીભાઈ ગ્રામ શિલ્પીના માધ્યમથી તા. 17/12/2020 ના રોજ બીજલબેન જગડ, ઘાટકોપર – થાણા, ડીસ્ટત્રીક વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ – મુંબઈ અને મહિન્દ્રભાઇ ગડા દ્વારા 200 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જયસીંગભાઈ વસાવા ખેરવાડાવાળા અને સુખદેવભાઈ વસાવાના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, લાભાર્થીઓએ ધાબળા વિતરણ કરનાર દરેક નો આભાર વ્યક્ત કર્યો હતો.