દક્ષિણ ગુજરાત

તાપીનાં નિઝર ખાતે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લાના નિઝર ખાતે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું:

નિઝર: આજ રોજ તાપી જિલ્લાના નિઝર ખાતે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું  આદિવાસી  સમાજના હિત માટે તેમજ શિક્ષણમાં સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા શિક્ષક શ્રી દિનકરભાઈ ગામીત પર થયેલા કેસો પરત ખેંચવા માટે તાપી જીલ્લાના નિઝર ખાતે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું:

તેમજ મનસ્વીપણે અને અંગત લાભાર્થે કાર્ય કરતાં  નિઝર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમારના વિરુદ્ધમાં તાત્કાલિક  કાયદાકીય કાર્યવાહી કરી ને તેઓને  નિઝર તાલુકામાંથી તાત્કાલિક બદલી કરવાની માંગ ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા કરવામાં આવી છે, જો આમ નહીં થાય તો 2 દિવસ પછી સમાજસેવી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનકરભાઈ ગામીતના સમર્થનમાં ભીલી સ્થાન ટાઇગર સેનાનાં લોકો આંદોલન પર ઉતરશે એવી ચીમકી ભીલીસ્થાન ટાઇગરનાં કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है