શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત નબળા મોબાઈલ નેટવર્કના કારણે મુશ્કેલી વેઠી રહ્યાં છે, નબળા નેટવર્કના કારણે ગરીબ પરીવારના બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શક્તા નથી, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અંધકારમય બનવાની શક્યતાઓ જણાઇ રહી છે, તેમજ પંચાયતોના કામ કાજ માટે નેટવર્ક ન હોવા ના કારણે આખી સિસ્ટમ ઠપ થઈ જાય છે, બાળકોનું શિક્ષણ બગડે છે, ગામડાના માણસો પંચાયતો જેવા અનેક સરકારી ખાતામાં નેટવર્ક ના અભાવે અનેક વાર ધક્કા ખાવા પડે છે, આ બાબતે વારંવાર સ્થાનિક તંત્રને અનેક વાર નેટવર્કની સમસ્યાના મુદ્દે અનેક ગામોના યુવા વિદ્યાર્થીઓ દ્વારા રજુઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ ધ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, યુવાનોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે, તેવા સંજોગોમાં આદિવાસી સમાજના યુવા કાર્યકર્તાઓ વાસુ વસાવા, વિજય વસાવા, પ્રદીપ વસાવા, મનીશ વસાવા,રાહુલ માલી, સંદીપ સેન, જીગર વસાવા, પ્રતાપ વસાવા, ભાંગોરી ગ્રુ.ગ્રા.પંચાયત સરપંચ,પરસોત્તમ બલદવા ગ્રુ.ગ્રા.પંચાયત સરપંચ અજય વસાવા, કંબોડીયા ગ્રા.પંચાયત સરપંચશ્રીઓ દ્વારા નેત્રંગ તાલુકા મામલતદાર શ્રી અને ગુજરાત સરકાર ને પ્રબળ મોબાઇલ નેટવર્કની સુવિધા પુરી પાડવા માટે રજુઆત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી,અને ગુજરાત સરકાર દ્વારા આ બાબતે માટે જરૂરી કાર્યવાહી કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.