શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આજરોજ દેડીયાપાડા ગ્રુપ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ના મહાદેવ મંદિર અને પંચાયત ખાતે ની ખુલ્લી જમીનમાં અનેક ઝાડો નુ વ્રુક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ.
સાંપ્રત સમયની જરૂરિયાતો ને જોતા કોરોના કાળમાં ઓક્શીજ્ન ની કમી ને લઇ સર્જાયેલી માનવ તરાજી અને વેશ્વિક ગ્લોબલ વોર્મિંગની વિકટ પરિસ્થિતિ ને ધ્યાનમાં લેતા માનવ જીવનમાં વ્રુક્ષો નુ મહત્વ ઘણું બધું છે, આજરોજ દેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું હતું .
દેડીયાપાડા ગ્રુપ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા, ગ્રુપ પંચાયતના સરપંચ શ્રીમતી વર્ષા બેન વસાવા, ઉપ સરપંચ જેસલ ભાઈ, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન દક્ષા બેન, દરેક વોડ નાં સભ્ય અને ગામના વેપારી મિત્રો, યુવા વર્ગ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પત્રકાર: દિનેશ વસાવા ડેડીયાપાડા ,