રાજનીતિ

આદિવાસી એકતા મંચ ગુજરાત, દ્વારા આદિવાસી મુખ્યમંત્રી જાહેર કરવાં માટે ની માંગ કરાઈ : 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આદિવાસી એકતા મંચ ગુજરાત, દ્વારા આદિવાસી મુખ્યમંત્રી જાહેર કરવાં માટે ની માંગ કરાઈ : વડાપ્રધાન અને અધ્યક્ષ ને લખવામાં આવ્યા લેટર : 

 આજરોજ તા.૦૯-૧૨-૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ ગુજરાત પ્રમુખ યાકુબભાઇ ગામીત દ્વારા હાલ ગુજરાત વિધાનસભા નુ પરિણામ નુ જાહેર થયેલ છે જેમા ભારતીય જનતા પાર્ટી ને અમારા સમાજ વિસ્તારમાં જંગી બહુમતી મળેલ છે ત્યારે રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા આદિવાસી મુખ્યમંત્રી બનવા મા આવે એવી માંગ સાથે પ્રમુખ યાકુબભાઇ ગામીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ ને પત્ર વ્યવહાર તથા ઓનલાઇન દ્વારા આદિવાસી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતી  રજુઆત કરવામા આવેલ છે, તેઓએ પોતાની માંગ પત્ર સાથે એમ પણ ઉમેર્યું હતું કે આદિવાસી સમાજ મા ભારતીય જનતા પાર્ટીને મળેલ રેકોર્ડ બ્રેક જનાદાર ને ધ્યાને લઈ આદિવાસી સમાજનાં મુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવે તેવી રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ  ગુજરાત વતી માંગ કરવામાં આવી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है