વિશેષ મુલાકાત

સ્વૈચ્છિક નિવૃત થયા બાદ માદરે વતનમાં ભવ્ય સ્વાગત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

તિલકવાડા તાલુકાના અગર ગામના વતની ભીલ વીપીનભાઈ રયજીભાઈ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર માંથી તારીખ 21-07-2021ના રોજ સ્વૈચ્છિક નિવૃત થયા ત્યારબાદ તારીખ 01-08-2021ના રોજ વતનમાં પરત ફરતા પરિવારજનો તેમજ ગામ લોકો દ્વારા ગામમા આવેલ અંબે માતાના આશીર્વાદ લઇ ઘરે જતા રોડ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સીપીઆઈ સાહેબ ભાવુક થયા.

તેઓ 28-10-1988ના રોજ પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા અને તેઓ ટ્રેનિંગ દરમિયાન લાલબાગ થી વાઘોડિયા 24 કિમી સુધીની દોડમાં ત્રીજા નંબરે આવ્યા હતા સન 1999માં તેઓ હેડ કોન્સેબલ થયા અને પ્રથમ પોસ્ટિંગ છોટાઉદેપુરમાં થયું અને ત્યારબાદ નસવાડી, છોટાઉદેપુર, કવાંટ, રંગપુરમાં તેઓ નશાબંધી અને આપકારી ખાતામાં ફરજ બજાવી અને ડભોઇ, કડવાલ, જેતપુર ખાતે તેઓ આઉટપોસ્ટમાં હેડકોન્સ્ટેબલ તરીકે ઇન્ચાર્જમાં હતા, ત્યારબાદ સન 2007માં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી અને પાસ થઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રેલવે ખાતામાં નડિયાદ, સુરત અને ડભોઇ ખાતે ફરજ બજાવી અને સુરત હજીરા પોલીસ સ્ટેશનથી અદાજણમાં રીડરમાં ફરજ બજાવી અને ત્યાંથી સન 2014 માં તેમનું પોલીસ ઇપ્રમોશન આવતા અમદાવાદના નારણપુરમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવી અને ત્યારબાદ સન 2017 છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ચાર્જ સંભાળ્યો અને છેલ્લે તેઓની સન 2020 માં LCB ખાતે બદલી થઇ, ત્યારબાદ તેઓ તારીખ 31-07-2021માં સ્વૈચ્છિક નિવૃત થયા અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામમાં વતનમાં 01-08-2021ના રોજ વતન પરત ફર્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है