શિક્ષણ-કેરિયર

31 ઓક્ટોમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે આવતા PM મોદી12 પ્રોજેક્ટો નું ઉદ્ઘાટન કરશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : 31 ઓક્ટોમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પી.એમ. મોદી સ્ટેચ્યુ પાસે બનાવેલા 12 પ્રોજકટો નું  ઉદ્ધઘાટન કરવાના છે, જેમાં ખાસ 31 તારીખે સવારે 6 કલાકે આરોગ્ય વનનું પણ ઉદ્ધઘાટન કરવાના છે, જોકે આ આરોગ્ય વન 17 એકર જમીનમાં ફેલાયેલા વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે આવેલ યોગ ગાર્ડનમાં પ્રધાનમંત્રી નરેદ્રમોદી આવશે, અને વિધિવત લોકાર્પણ કરીને 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરશે. તે માટેની હાલ અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાન મોદી યોગને ખાસ પ્રાધાન્ય આપે છે ત્યારે આ વિશ્વ આરોગ્ય ઔષધીય વન તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે અને અહીંયા આયુર્વેદિક1000 થી વધારે વિવિધ છોડ ઉગાડવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है