બ્રેકીંગ ન્યુઝ

ખાંડના પેકિંગ માટે PP બેગના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોનાં દરોડા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ

ખાંડના પેકિંગ માટે PP બેગના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોનાં દરોડા: ખાંડ ઉત્પાદક કરતી સુગર ફેક્ટરીઓમાં ફફડાટ: 

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ખાંડ (સુગર)ને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતી PP બેગના ઉત્પાદક મેસર્સ શ્રી શ્યામ પેકેજિંગ, પ્લોટ નંબર 98, જીઆઈડીસી સેઝ, કલોલ, ગાંધીનગર-382721 પર તા. 06.04.2022ના રોજ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી. આ ઉત્પાદક ખાંડના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ISI માર્ક વિનાની પીપી બેગનું ઉત્પાદન કરીને દેશની વિવિધ ખાંડ ઉત્પાદક કંપનીઓને સપ્લાય કરતા હતા. દરોડા દરમિયાન મેસર્સ શ્રી શ્યામ પેકેજિંગને ત્યાં આઈએસઆઈ માર્ક વિનાની પીપી વોવન બેગો સહિત મોટી માત્રામાં બેગના વેચાણને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

જેમ આપણે જાણીએ છીએ કે ખાંડનો ઉપયોગ તમામ સામાન્ય લોકો તેમના રોજિંદા જીવનમાં કરે છે, તેથી જરૂરી છે કે ખાંડના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી તમામ થેલીઓ યોગ્ય ગુણવત્તાની હોય, એટલા માટે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના 23 એપ્રિલ, 2020ના ઓર્ડર નંબર 25014/9/2019-ટેક.સીપીસી તા. 23 ઓક્ટોબર, 2020થી અનાજ અને ખાંડ ભરવા માટે ઉપયોગમાં લેવાતી એચડીપીઈ/પીપી બેગ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવાયો છે એટલે કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈએસઆઈ માર્ક વિના એચડીપીઈ/પીપી બેગનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોંડ, અમદાવાદ -380014, ફોનનં. ૦79-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo-2@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है