આરોગ્ય

સાગબારાના ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું;

સાગબારા તાલુકામાં સઘન રીતે “સ્પર્શ-લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” નો પ્રારંભ કરાયો છે ત્યારે રક્તપિત્ત શું છે, તેના લક્ષણો તેમજ સારવાર વિશે જાણવું જોઇએ. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બન્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં તા. 30 મી જાન્યુઆરી થી તા.13 મી ફેબ્રુઆરી દરમિયાન રક્તપિત્ત જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય લેવલે ગ્રામસભાઓ અને જન-જાગૃતિ રેલીઓ યોજી રક્તપિત્ત રોગ વિશે સામાન્ય માહિતી આપવામાં આવી રહી છે, તેમજ જે લોકોને ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઈ ચાઠું મળી આવે તો તેની તપાસ કરીને સારવાર આપવામાં આવશે અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

રક્તપિત્ત જન જાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો.હેતલ.યુ.ચૌધરી, જિલ્લા રક્તપિત મેડિકલ ઓફિસરશ્રી ડો. હિરેન.એચ.પ્રજાપતિ, લેપ્રસી  PMW- સતિષભાઈ એલ. વસાવા તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા ગ્રામજનોએ ગ્રામસભામાં હાજર રહી રક્તપિત જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है