શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
રાજપીપલાના પ્રતાપનગર સ્થીત આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો;
નર્મદા જિલ્લા સહિત સમગ્ર ભારત વર્ષમાં શનિવારના રોજ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ઉપલક્ષમાં રાજપીપલાના પ્રતાપનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો હતો.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ રાજપીપલાના પ્રતાપનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થામાં વિવિધ ટ્રેડમાં તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત ગત જુલાઈ માસમાં પાસ થયેલા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓનો પદવીદાન સમારંભ તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આઈ.ટી.આઈ. ના આચાર્યશ્રી રાહુલ ગજેરા તેમજ આઈ.ટી.આઈ.ના અન્ય ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.