
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા આમું સંગઠને બંધારણીય માંગણી બાબતે આવેદન આપી, કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યું;
નર્મદા જિલ્લા આમું સંગઠન અલગ ગ્રામ્ય પંચાયત બાબતે ઘણા વર્ષોથી સરકાર સામે માંગણી કરતું હોવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈજ નિરાકરણ ન આવતા આવેદનપત્ર આપી સંગઠનના હોદેદારો આજથી રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે.
આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ આખું સંગઠન નર્મદા જીલ્લાના માધ્યમથી ભારતના બંધારણ મુજબ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજજો આપવા માટે વર્ષોથી અનેકવાર સ્થાનિક તંત્ર અને ગુજરાત રાજયના ઉચ્ચ કક્ષાના વિભાગોને લેખીત રજુઆતો કરી હોવા છતા, ગુજરાત રાજય સરકાર દ્વારા ખોટા ખોટા જુઠા બહાનાઓ લખી જણાવીને આમું સંઘઠનની બંધારણીય માંગણીને ઠુકરાવામાં આવી છે. તેમજ ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો છે જેના કારણે તા. 28 જૂનથી કલેકટર કચેરી નમૅદા સામે ગુજરાત રાજય સરકારની ખોટી નિતીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહયા છે.
◆ આમુ સંગઠન નર્મદા જિલ્લાના પ્રમુખ મહેશભાઈ એસ. વસાવાએ આ તબક્કે જણાવ્યું કે આવનારા સમયમાં અમારી બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ બાબતે અમે અનેક પ્રકારના કાયૅક્રમો આપીશું જેની ગુજરાત રાજય સરકારે નોધ લેવી તેવી ચીમકી પણ આપી છે.