બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લામાં દુર્ગમ વિસ્તારમાં આઝાદીનાં 73 વર્ષ પૂર્ણ થયાં બાદ રોડનાં વિકાસ કામનું ખાતમુહુર્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા: દેડીયાપાડા; દેશને આઝાદી મળીને 73 વર્ષ પૂર્ણ થયા છતાં ગ્રામ્ય વન વિસ્તારમાં રહેતા કેટલાક નર્મદા જીલ્લાના દુર્ગમ વિસ્તાર ના ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ થી વંછીત છે, ત્યારે નર્મદામાં  સરકારની “ગુજરાત મોડલ” ની વાતો અહીંયા પોકળ સાબિત થાય છે અને રાજ્ય સરકારે લાગુ કરેલ પેસા એકટ પ્રમાણે પણ ક્યાંય કામ થતું હોય એમ માલુમ પડતું નથી, ત્યારે રાજ્યમાં પ્રથમ વાર પેસા એકટ મુજબ નર્મદા જિલ્લામાં દુર્ગમ વિસ્તાર માં રોડ બની રહ્યો છે, જેનું ખાત મુહુર્ત નર્મદા જિલ્લાના કારોબારી ચેરમેનશ્રી બહાદુર ભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતુ,

આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત કારોબારી સભ્ય બહાદુર વસાવા એ જણાવ્યું હતું કે રાજય માં પેસા એકટ સરકારે લાગુ કર્યો પણ આ એકટ માં જોગવાઈ હોય એવા એક પણ કાયદાનું પાલન થતું નથી, ત્યારે આજે પહેલી વાર રાજ્યમાં પેસા એકટ પ્રમાણે એટલે કે 50 ટકા રકમ જિલ્લા પંચાયત અને 50 ટકા ગામ વિસ્તાર ની માટી અને રેતી નો ઉપયોગ કરી ને કરવાની આ અંતરિયાળ વિસ્તાર કંજાઈ માં આઝાદી કાળથી રસ્તો નહોતો આજે વિકાસ કામ  પાસ કરાવી રસ્તો  બનાવી રહ્યા છે તો સ્થાનિકો ને તેનો લાભ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પેશા એકટ 1996ની જોગવાઇ મુજબ રેતી કણકણમાં 50% હિસ્સામાંથી જિલ્લા પંચાયતના સદસ્યો તથા કારોબારી અધ્યક્ષના આયોજન માંથી ડેડીયાપાડા તાલુકા ના સાબુટી ગૃપગ્રામ પંચાયત ના સેજમાં આવેલ કંજાઈ ગામે દુર્ગમ રસ્તાનું RCC રસ્તાનું કામ 1.50 લાખ બજેટ માં કરવામાં આવ્યું, સાબુટી ગૃપ ગ્રામ પંચાયતના સદસ્ય તથા ગામના વડીલો ની હાજરીમાં રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है