મારું ગામ મારાં ન્યુઝ

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ની મહામારીમાં દુઃખદ અવસાન પામેલ વ્યક્તિઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં આપણી આજુબાજુના વિસ્તારના તેમજ દેશ અને દુનિયાના ઘણા વ્યક્તિઓના આ કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થવા પામેલ છે. આવા સદગત વ્યક્તિઓના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ ઘટનામાં ભગવાન એમના પરિવારને સુખ શાંતિ આપે અને આ દુઃખદ પ્રસંગ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ કોરોનામાં દુઃખદ દિવ્ય મૃત્યુ પામેલ સર્વ ધર્મના લોકોની આત્માને પરમ શાંતિ મળે એવી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પરિવાર તરફથી શ્રધ્ધાંજલી આપવામાં આવી.

આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, રામસિંહભાઈ, અશોકભાઈ, ભુપતભાઈ, સેમ્યુઅલ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है