
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના સાગબારા નાં પીએસઆઇ શ્રીને પોલીસ મહાનિર્દેશક દ્વારા ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરાયા;
નર્મદા: સાગબારા પોલીસ મથકે સેવા આપી રહેલા પી.એસ.આઇ શ્રી કે.એલ.ગળચર ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાંધીનગર ખાતે ડીજીપી સાહેબ ના વરદ હસ્તે ઇ-કોપ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે, જેથી નર્મદા જિલ્લા અને સાગબારા તાલુકાવાસીઓમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ મથકે સેવા આપી રહેલા પીએસઆઇ શ્રી. કે.એલ.ગળચર નિષ્પક્ષ અને ન્યાયી કામગીરી કરી રહ્યા છે, આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગ થી ગુના શોધી ને દરેક આરોપી ને ઝડપી ને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ને શ્રેષ્ઠ કામગીરી રહ્યા છે, જેને લઇને પીએસઆઇ શ્રી કે.એલ.ગળચર ને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે ગાંધીનગર ખાતે ડી.જી.પી. સાહેબ ના વરદ હસ્તે ઇ-કોપ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
જેથી પોલીસ સ્ટાફ, નગરજનો અને તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ અભિનંદન ની વર્ષા વરસી રહી છે.