દક્ષિણ ગુજરાત

 નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯ સહિત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

જિલ્લામા આજ દિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૭૩,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૮૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૯ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૦૦૧ થઈ:

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૭ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૩ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૫ (પાંચ) દરદીઓ સહિત કુલ-૫૦ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૧,૨૭૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૬૯ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા, સોમવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૫ મી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૯ સહિત સહિત કુલ-૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૭૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૮૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૯ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૦૦૧ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૭ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૯૬ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪૫૨ દરદીઓ સહિત કુલ-૯૪૮ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫( પાંચ) દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૨ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૨૩ દરદીઓ સહિત કુલ-૫૦ દરદીઓ સારવાર હેઠળ છે.

આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીનઓના મૃત્યુ નોધાયેલ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૨૭, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૯૬ સહિત કુલ-૪૨૫ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૫ મી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૧,૨૭૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૭ દરદીઓ, તાવના ૨૮ દરદીઓ, ઝાડાના ૨૪ દરદીઓ સહિત કુલ-૬૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૭૫,૨૯૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૬૭,૪૫૮ લોકોને વિતરણ કરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है