શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા:- નવી બાંધકામ થયેલ બ્રોડગેજ લાઈન ચાંદોદ સ્ટેશનથી કેવડીયા સ્ટેશન ( ૩૧.૯૦૦ કિ.મી.) નું નિરિક્ષણ કમિશનર રેલ્વે સેફટી, પશ્ચિમ સર્કલ તા.૧૪-૦૧-૨૦૨૧ ને ગુરૂવાર અને તા.૧૫-૦૧-૨૦૨૧ ને શુક્રવારના રોજ કરનાર છે. ટ્રેનની ઝડપની ટ્રાયલ ૧૩૦ કિ.મી. પ.ક. નવી બાંધેલ રેલ્વે લાઇન કેવડીયા સ્ટેશનથી ચાંદોદ સ્ટેશન સુધી તા.૧૫-૦૧-૨૦૨૧ ને શુક્રવારના સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધી કરવામાં આવશે. આથી જાહેર જનતાને તેની નોંધ લેવાની સાથે સલાહ આપવામાં આવે છે, કે રેલ્વે ટ્રેક પરથી પસાર થવું નહીં અથવા આ સેક્શનની કોઇપણ જગ્યાએ રેલવે ટ્રેક પર ચાલવુ નહી, તેમ ડેપ્યુટી ચીફ એન્જીનિયર(Const.)-I, વેસ્ટર્ન રેલ્વે, વડોદરા તરફથી જાહેર અનુરોધ કરાયો છે.