બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ:  વાંચો નહીંતર પસ્તાવાનો વારો આવશેઃ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ: 

તાપી જિલ્લા માં નવરાત્રી તહેવાર ઉજવણી દરમિયાન કોવિદ-૧૯ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

રાત્રી ૧૨ કલાક સુધી ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબા, દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે:

કોમર્શિયલ ગરબાના આયોજન પર પ્રતિબંધ:

વ્યારા-તાપી: સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કન્ટેન્મેન્ટ અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકારે પણ કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકાઓ બહાર પાડેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં કલેક્ટર એચ.કે.વઢવાણિયા દ્વારા કોવિડ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
માર્ગદર્શિકા મુજબ તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટ, અઠવાડિક ગુજરી /બજાર /હાટ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત લેવાનો રહેશે. જીમ ૭૫ ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા રાત્રિના ૧૦ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસ.ઓ.પીને આધિન ખોલી શકાશે. પરંતુ બંધ સ્થળોએ ૫૦ ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે. વાંચનાલયો ૭૫ ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે.
ધો. ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઈઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૧૦૦ ટકા પેસેન્જરની ક્ષમતા સાથે ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુંમાંથી મુક્તિ આપવામાં આવે છે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, મહત્તમ ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ ૭૫ ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે. સ્પા સેન્ટરો બંધ રહેશે.
ઉપરોકત તમામ બાબતોમાં જણાવેલ વ્યક્તિઓના RTPCR પોઝિટીવ આવ્યા હોય તેવા કિસ્સામાં આર.ટી.પી.સી.આર પોઝિટીવ આવ્યાના ૧૪ દિવસ, હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુરંત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.
નવરાત્રી દરમિયાન સમગ્ર જિલ્લામાં રાત્રીના ૧૨ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઇએ. આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે. જિલ્લામાં પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે જ્યા કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી.
અન્ય રાજ્યોમાંથી તાપી જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું તેમજ કોવીડ-૧૯ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું તા.૧૦/૧૦/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है