
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા
સુરત જીલ્લાનાં ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા,યુવા અને આધુનિક કરણનાં પ્રણેતા એવા પ્રખર નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ: શ્રી રાજીવ ગાંધીજીની 76મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ કરીને બાદમાં સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને અનોખી રીતે માનવવામાં આવી હતી,
ઉમરપાડા તાલુકાના તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોશ્રી ઓ તથા કાર્યકરો દ્વારા તારીખ 20 ઓગસ્ટના દિવસે GPCC તથા સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને લોક લાડીલા MLA આંનદભાઈ ચોધરીનાં આદેશ અનુસાર દેશના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજી ની 76 મી જન્મ જયંતીની ઉજવણી કોંગ્રેસ પરિવાર તરફથી વૃક્ષારોપણ કરીને તેમજ ફ્રૂટ વિતરણ દર્દીઓને આપીને કરવામાં આવી હતી, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી આ દેશની સેવામાં પોતાનું બલિદાન આપી તેઓ શહીદ થયા હતા, તેમની સેવાકાળ દરમિયાન દેશની ઈન્ટરનેટ સુવિધા,ફોન, ગરીબોને આવાસ યોજના, મનરેગા યોજના બેરોજગારોને રોજગારી યુવાનોને નોકરીની તકો ગરીબોને મફત અનાજની આપવાની યોજના સાથે તેમનાં પ્રયાશો દ્વારા ભારતમાં કોમ્પ્યુટર યુગની એટલે આધુનિક કરણનાં પ્રણેતા, આ દેશના પ્રિય નેતા ની જન્મદિવસની ઉજવણી આજે હર્ષોલ્લાસ સાથે સુરત જીલ્લાનાં ઉમરપાડા ખાતે ઉજવવામાં આવી હતી આ પ્રસંગે હરીશ વસાવા, રામસિંહ, નટુભાઈ, મૂળજીભાઈ, અજીતભાઈ, અશોક, ભુપેન્દ્રભાઈ ,શંકરભાઈ વગેરે અન્ય કોંગ્રેસના કાર્યકરો હાજર રહીને તેમની જન્મ જયંતિ ઉજવી હતી.