રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પ્રધાનમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે સરદાર પ્રતિમા ની ભાવપૂર્વક પદપૂજા કરી લોહ પુરુષ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી:

રાજયની પોલીસ-અર્ધલશ્કરી દળો સહિત વિવિધ સુરક્ષા સંસ્થાઓના ગણવેશધારી દળોએ આપી અનોખી ધ્વજ સલામી:

પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં વિશાળ જનમેદનીને લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ:

ભારત માતાના જયઘોષથી ગુંજયું સમગ્ર એસ.ઓ.યુ. પરિસર

પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની ૧૪૫મી જન્મજયંતિએ વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે સરદાર સાહેબની પ્રતિમાની પદપૂજા કરીને ભાવ સભર આદરાંજિલ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી પ્રધાન મંત્રીશ્રી ની પ્રેરણા થી કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાનું પૂષ્પપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી હતી. આમંત્રિતોને પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

સરદાર સાહેબની આ અપ્રતિમ પ્રતિમાના સાનિધ્યમાં રાજયની પોલીસ-અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસ સભર પરેડ રજૂ કરી હતી. આ દળોએ અનોખી ધ્વજ સલામીથી પ્રધાનમંત્રીશ્રીને આદર આપ્યો હતો.

રાજયની સુરક્ષા એજન્સીઓના વિવિધ ગણવેશધારી દળોએ શિસ્ત અને શૌર્યસભર આંતરરાષ્ટ્રીય પરેડ રજૂ કરી સૌને રોમાંચિત કર્યા હતા. પરેડમાં સી.આઇ.એસ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ., ઉપરાંત ગુજરાત પોલીસ દળોના પોલીસ બેન્ડે શૌર્યસભર સુરાવલીઓ લહેરાવી હતી.

આ ”એકતા પરેડ ” નું વધુ એક આકર્ષણ હતું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા નિદર્શિત થયેલા ”સ્પેશ્યિલ વેહીકલ્સ”. આ એકતા પરેડમાં આરપીએફ, આઇટીબીપી, એનડીઆરએફ, બીએસએફ, એનએસજી તથા સીઆરપીએફ દ્વારા નિર્મિત કોમ્બેટ વેહીકલસ પ્રદર્શિત કરવામાં હતા.

આ તબક્કે ગુજરાત પોલીસનું ”બૉમ્બ ડિસ્પોઝલ પ્રોટેક્શન વેહિકલ” (બીડીપીવી) તથા સીઆરપીએફની ”વિમેન વોરિયર્સ”ની છઠ્ઠી બટાલિયનને મંત્રમુગ્ધ કરી નાખે તેવા કૌશલ્યો દર્શાવ્યા હતા.

ગુજરાત સરકારના યુવક-સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ડેડીયાપાડા તથા સાગબારાના આદિવાસી યુવાઓએ કોવિડ -19ની ગાઈડલાઈન જાળવીને પરંપરાગત ”ડાંગી નૃત્યો ” રજુ કર્યા હતા.
આ સમયે વાયુસેનાના શાનદાર લડાકુ વિમાન જગુઆર દ્વારા તેજ ઉડાન સાથે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપસિંગજી પૂરી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવા સહિત પદાધિકારી, ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है