શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર સિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્ચર નાઓએ પો. સ્ટે.વિસ્તારમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજ રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ પોલીસ સ્ટેશન નાં ગુ.ર. નં.lll ૫૧૧/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ -૬૫(એ),(ઈ),૮૧,૯૮,(૨) તથા ગુ.ર. નં.lll ૫૮૩/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫ ,(એ),(એ),૮૧ મુજબના પ્રોહીબીસનનાં ગુનાનો નાસતો ફરતો આરોપી રમેશભાઈ કરમસિંગભાઈ વસાવા રહે. તુંડી, તા.ઉંમરપાડા, જી.સુરતનાઓ નેત્રંગ ચોકડી ખાતે આવેલ છે જે માહિતી આધારે ઉપરોકત જગ્યા ચારે બાજુથી કોર્ડન કરી તપાસ કરતા નાસતા ફરતા આરોપી રમેશભાઈ કરમસિંગભાઈ વસાવા રહે.તુંડી તા.ઉંમરપાડા, જી.સુરતનાઓને નેત્રંગ ચોકડી ખાતેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સદર કામગીરી પો.સ.ઈ.એન.જી.પાંચાણી તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઈ બ.નં.૧૦૮૨ તથા પો.કો.જીગ્નેશભાઈ જસવંતભાઈ બ.નં.૧૦૩૮ તથા પો.કો.અજીતભાઈ મંગાભાઈ બ.નં.૧૪૮૨ નાઓ દ્વારા કરવામાં આવેલ છે..