દક્ષિણ ગુજરાત

ડેડિયાપાડા માં ફૂડ એન્ડ ડ્રગ્સ ના લાઇસન્સ અપાવવાના નામે વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ડેડિયાપાડા માં  દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના બે વ્યક્તિઓ ને પોલીસ દ્વારા પકડેલ છતાં આજ સુધી કોઈ ફરિયાદ દાખલ ના થતા નગર ના વેપારીઓમાં પોલીસ પ્રત્યે આક્રોશ.પોલીસ નું સૂચક મૌન..

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા બે ત્રણ દિવસ થી ડેડિયાપાડા માં દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ,આશ્રમ રોડ અમદાવાદ ના બે ઈસમો પોલીસને સાથે રાખી વેપારીઓ પાસે લાઇસન્સ ની માગણી કરી અને લાઇસન્સ કાઢી આપવામાં આવશે એવું જણાવી રૂપિયા ઉઘરાવતા હતા. તે દરમ્યાન કે.મોહન આર્ય આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંઘ ના કાર્યકારી અધ્યક્ષ (ભારત) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રિય કનવિનાર ને આ બાબત ની એક વેપારી એ જાણ કરતા, તેઓ એ સ્થાનિક પત્રકારોને સાથે રાખી પોલીસ મથકે જઈ પોલીસ ને જાણ કરતા પોલીસ આ વિશે તપાસ આદરી આ પ્રાઇવેટ કંપનીના ઈસમો ને બોલાવી તપાસ કરતા એમની ગાડી પર ” National Council of Vocational Skill Assessment Register nct of New Delhi , Government of India” લખેલ હતું. ગાડી નંબર GJ-27 CM -2696 Mahindra TUV કંપની ની હતી.

પી.એસ.આઇ.  આઇ.આર.દેસાઈ એ ઉપરોક્ત કંપની ના ઈસમો પાસે ગુજરાત સરકાર નો કોઈ ઓથોરિટી લેટર માંગતા તેઓ પાસે મળી આવેલ ના હતો.એ કંપની ના માણસો ને પૂછતાછમાં એક નું નામ હાર્દિક રમેશ પટેલ, મનોજ રમેશ મિસ્ત્રી બંને રહે.આશ્રમ રોડ અમદાવાદ ,ધોરણ – ૯ પાસે જણાવેલ હતું. આ લોકો ડેડિયાપાડા નગર માંથી સાબરી ચિકન સેન્ટર, ફાયાજ ભાઈ કુરેશી પાસે થી લાઇસન્સ ના બહાને ૧૦,૦૦૦/- રોકડા અને ૫૫૦૦/- લાઇસન્સ આવ્યા બાદ, જેમાંની બ્રોથર્સ માંથી કારિયાણી ની દુકાનના માલિક પાસે થી ૧૦,૦૦૦/- રોકડા અને ૧૦,૦૦૦/- નો ચેક લીધા હતા. પ્રિયા પ્રોવિઝન સ્ટોર માથી પણ રૂપિયા ૧૦,૦૦૦/- નો ચેક લીધેલ હતો. જય શ્રી કરિયાણા સ્ટોર માથી ૪૦૦૦/- રોકડા ,ચેતન કરિયાણા સ્ટોર માથી ૧૨,૫૦૦/- રોકડા , ડી.જી.ફૂડ એન કેક સ્ટોર માથી ૬૫૦૦/- રોકડા ઉઘરાવી છેતરપિંડી કરી હતી, અને આ તમામ વેપારીઓ ને બિલ નંબર ,જી.એસ.ટી નંબર વગર નું સહી સિક્કા વગર નું બિલ આપી જેમાં કોઈ વિવરણ પર લખેલ ન હતું. એમને આ રીતે પૈસા ઉઘરાવવા નો અધિકાર કોને આપ્યો એ પૂછતા એમના પાસે જવાબ ના હતો. આ અધિકાર કોને આપ્યો એમને પૈસા ઉઘરાવવા નો પોલીસ તપાસમાં જાણવા મળેલ કે અંકલેશ્વર ,વાલીયા ,નેત્રંગ ,ડેડિયાપાડા જેવા અન્ય જગ્યા ઓ એ થી રોકડા રૂપિયા અને ચેક લીધેલ છે.

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા ના વેપારીઓ ને પૈસા પરત કરવા માં આવ્યા છે, અને આ બંને ઠગ વિરૂદ્ધ ડેડિયાપાડા ના વેપારી મંડળના પ્રમુખ ધનંજય શાહ દ્વારા પોલીસ મથકે જઈ ગુનો નોંધવા જણાવેલ છે, છતાં ગુનો નોધેલ નથી તો પોલીસનું શા માટે સૂચક મૌન છે, એ વેપારીઓમાં ચર્ચાય રહ્યું છે. વેપારીઓ ની એવી માંગ છે કે આ બંને વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તો  ગુજરાત માં મોટું કોભાંડ બહાર આવે એમ છે. આ બાબતે પી.એસ.આઇ દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું આ બાબતની તપાસ કરી રહ્યા છે ,અને તપાસ કર્યા બાદ જો ગુનેગાર હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા તપાસ પુર્ણ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है