મારું ગામ મારાં ન્યુઝ

તાઉ’તે વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે ૧૧૯ અસરગ્રસ્તને ચુકવણી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

“ તાઉ તે “ વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે ૧૧૯ જેટલા કિસ્સામાં અસરગ્રસ્ત પરિવારોને રૂા. ૪,૭૧,૯૬૫/- ની રકમ સહાય પેટે ચૂકવાઇ;

જિલ્લામાં પશુ-મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂા.૨૫૦૦૦/- ની સહાય ચૂકવાઇ;

રાજપીપલા: તાજેતરમાં ગુજરાતમાં “ તાઉ-તે “ વાવાઝોડાના પગલે અને તેની અસરના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ પશુ મૃત્યુનો એક કિસ્સો નોંધાવાની સાથે બે કાચા મકાનો સંપૂર્ણ નાશ પામવા ઉપરાંત ૧૪૪ કાચા મકાનો અંશત: તથા ૨૩ પાકા મકાનો પણ અંશત: નાશ પામેલ છે. આમ, જિલ્લામાં કુલ-૧૬૯ જેટલા કાચા/પાકા મકાનો સંપૂર્ણ/અંશત: નાશ થયા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પંચાયત તરફથી પ્રાપ્ત થયેલ છે. તે પૈકી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ૧૧૯ કિસ્સામાં ચૂકવવાપાત્ર થતી સહાયની રકમના ચેકો દ્વારા સંબંધિત તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ મારફત અસરગ્રસ્ત પરિવારોને ચૂકવણું કરવામાં આવ્યું છે.

તદ્અનુસાર, જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામે નોંધાયેલ પશુ મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂા. ૨૫૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ નાશ પામેલ બે કાચા મકાન, અંશત: નાશ પામેલ ૧૪૪ મકાન અને અંશત: નાશ પામેલ ૨૩ પાકા મકાનો મળી કુલ-૧૬૯ મકાનોનો સર્વે કરાયો હતો, તે પૈકી મંજૂરીપાત્ર ૧૧૯ જેટલા અસરગ્રસ્ત પરિવારોને કુલ રૂા. ૪,૭૧,૯૬૫/- ની સહાય ચૂકવવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. 

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है