
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
- બેબાર ગામ નાં તમામ ગ્રામજનોનો હુજુમ દેડિયાપાડા મામલતદાર કચેરીએ પોહોંચ્યો:
મફત વિતરણ કરવા આપવામાં આવતાં અનાજ ને પાંખો! તંત્રની મિલી ભગત વગર શક્ય નથી.? - ગરીબોના હકનું અનાજ સરકારી દુકાનદારો સગેવગે કરતા આક્રોશ સાથે આખું ગામ રજુઆત કરવા મામલતદાર કચેરીએ નાખ્યાં ધામાં;
દેડિયાપાડા તાલુકાના બેબાર ગામના આદિવાસી લોકોને સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવે છે. અને એક માસથી અનાજ ન મળતાં અને મળે છે તો સરકારી અનાજ અનિયમિત વિતરણ થાય છે. તે બાબતે બેબાર ગામના તમામ કાર્ડ ધારક મહિલાઓ તેમજ ભાઈઓ સહિત ગ્રામજનોએ દેડિયાપાડા મામલતદાર કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો, અને દુકાનદાર વિરુદ્ધ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. જો અમને ન્યાય નહિ મળે તો પ્રતીક ધારણા કાર્યક્રમ અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું, જેની તમામ જવાબદારી તંત્ર ની રહશે, અને મામલતદાર ને રજુઆત કરવામાં આવી હતી કે સંચાલક દ્વારા સસ્તા અનાજની દુકાન માંથી અનાજ ઘંઉ, ચોખા મળતા નથી, જો મળે છે તો પૂરતા પ્રમાણ માં આપવામાં આવતું નથી, તેમજ કેરોસીન પણ પૂરતા પ્રમાણ માં આપવામાં આવતું નથી, તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
ફુલસર ગામે બેબાર ગામના ૨૭૫ થી વધુ કાડૅ ધારકોએ ૮ કિ.મી. દૂર અનાજ લેવા માટે અવાર નવાર ચક્કર લગાવવા પડે છે,
આમ સરકારી અનાજ માટે ફુલસર ગામના સરકારી દુકાનના સંચાલક ધક્કા ખવડાવે છે? આવો રેડિયાળ ઘણા સમય થી ચાલતું આવ્યો છે, ઘણી વખત અમને ધમકાવી ચૂપ કરવામાં આવે છે, તેમ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. અને આ બાબતે બેબાર ગામનાં તમામ ગ્રામજનો દ્વારા દેડિયાપાડા મામલતદાર કચેરીએ આવી આ ઘટના, ગેર વહીવટ બાબતે હલ્લો મચાવ્યો હતો. અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને દેડિયાપાડાના મામલતદાર એ.સી.વસાવાને ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો,
અને કહી શકાય કે ” રાજા જો પ્રજાને લૂંટે ,તો પ્રજા ન્યાય માટે કોની પાસે જાય?? તેવા પ્રશ્નો ગ્રામજનોને સતાવી રહ્યા છે. હવે આ બાબતે તંત્ર કેટલું એક્શન માં આવે તે જોવું રહ્યું??