દક્ષિણ ગુજરાત

નિંઘટ નજીક રામેશ્વર હોટલ પાસે વાન અને મોટર સાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2 ના મોત;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગત તારીખ 24 જૂન ગુરુવારના રોજ વાડવા ગામના વતની ભોગીલાલભાઈ તથા ઉષાબેન મોટર સાઇકલ નંબર GJ-22-D-7271 પર ડેડીયાપાડા તરફ કામ અર્થે જઇ રહ્યા હતા, દરમ્યાન અજાણ્યા મારુતિ વાન નંબર GJ-16-BB-0185 ના ચાલકે પુર ઝડપે ગાડી હંકારી લાવી રામેશ્વર હોટલ પાસે ધડાકા ભેર અથાડી દેતા મોટર સાઇકલ પર બેઠેલા બન્ને ફંગોળાઈ જતા તેમને ગંભીર ઈજાઓ પોહચી અને તેમને 108 મારફતે સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં સ્થિતિ ગંભીર જણાતા તેમને રાજપીપળા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભોગીલાલભાઈ ને ડૉક્ટરે મૃત જાહેર કર્યા અને ઉષાબેન ને એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડતા ત્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જે બાબતે વેચાણભાઈ એ મારુતિ વાન ચાલક વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है