શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
“આદિવાસી જન સેવા ટ્રસ્ટ” દ્વારા પોમાલાપાડા ગામે વૃક્ષારોપણ કરાયું;
કોરોના કહેર વચ્ચે ઓક્સીજન ની કમી અને ક્લાઈમેટ ચેન્જ ની અસર માનવ જીવન પર પડતાં ગત દીવસોમાં માનવ જાતે ઘણું ગુમાવવું પડ્યું હતું, અંતે જગ્યા ત્યાં થી સવાર સમજીને આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા પોમાલાપાડા ગામે વૃક્ષારોપણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આજ રોજ આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલસી દ્વારા પોમલાપાડા ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામ્ય લોકોને એક વિશેષ વૃક્ષો નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સમગ્ર સૃષ્ટિ માં પ્રદૂષણ ની માત્રા વધવાના કારણે કુમોસમી વરસાદ ના લીધે થઈ રહેલી ખેડૂતો ની સમસ્યાઓ ખુબજ ગંભીર રીતે સર્જાઈ રહી છે. જે ધ્યાનમાં લઇ આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા પોમાલાપાડા ગામે નાનકડુ એક સરાહનીય ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું.