શિક્ષણ-કેરિયર

આંગણવાડી કેન્દ્રો પર બાળકોને પોષણયુક્ત આહારની સાથે સરગવાનાં રોપાઓનું વિતરણ:

જિલ્લાની કુલ ૯૫૨ આંગણવાડી કેન્દ્રોમાંથી કુપોષિત બાળકોના વાલીઓ, સગર્ભા માતાઓ તેમજ કિશોરીઓને કુલ ૧૪૭૨ સરગવા સાથે ફળોના રોપાનું વિતરણ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લાની કુલ- ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવા-ફળોના રોપાઓનું કરાયું વિનામુલ્યે વિતરણ:

: 

રાજપીપલા, હાલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે પોષણ અભિયાનના ભાગરૂપે રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તો અને બપોરના ભોજનમાં પોષણયુક્ત ખોરાક મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અને જિલ્લા આઇસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગામ ઓફિસર શ્રીમતી હેમાંગીબેન ચૌધરીના પ્રયાસોથી જિલ્લાની કુલ ૯૫૨ આંગણવાડી કેન્દ્રોમાંથી કુપોષિત બાળકોના વાલીઓ, સગર્ભા માતાઓ તેમજ કિશોરીઓને કુલ ૧૪૭૨ સરગવાના રોપાની સાથે ફળોના રોપાનું પણ તાજેતરમાં વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા જિલ્લા આઇસીડીએસ પ્રોગામ ઓફિસર શ્રીમતી હેમાંગીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) સંક્રમણની મહામારી ચાલી રહી છે, ત્યારે જિલ્લાનાં કુપોષિત બાળકો તેમજ અન્ય લાભાર્થીઓને ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તો અને બપોરના ભોજનમાં પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવાના રોપાની સાથે ફળોના રોપાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है