દક્ષિણ ગુજરાત

હાટ બજારમાં જતાં પીકઅપ વાનને નડ્યો ગોઝારો અકસ્માત 3નાં મરણ અને 3 ઇજાગ્રસ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વેપારીની પીક અપ વાનને ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે, તો અન્ય 3 લોકોની ઈજા પહોંચી છે. રવિવારનાં દિવસ ખરીદી કરવા જઈ રહેલા અંકલેશ્વરના વેપારી પર કાળ બનીને આવ્યો હતો. હોંશે હોંશે બજાર જવા નીકળેલા વેપારીને ભરૂચ દહેજ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

દહેજમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જ્યાં આસપાસના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ બજારમાં કપડાથી લઈને ઘરવખરીની ચીજો મળી આવે છે. તો વેપારના અર્થે પણ આ બજાર મહત્વનું છે . ત્યારે અંકલેશ્વરના એક વેપારી આ બજારમાં ૭ લોકો જઈ રહ્યા હતા. ત્યારે ભરૂચ- દહેજ હાઈવે પર વેપારીની ગાડીને અકસ્માત નડ્યો હતો. તેમની પીક અપ વાનને ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો અન્ય લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની હજુ વધુ વિગતો આવી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है