ખેતીવાડી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ: 

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર પર તારીખ ૦૭/૦૧/૨૦૨૩ ના સવારે ૧0:00 કલાકે કેન્દ્રની ૨0મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના માન કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી.પટેલના અધ્યક્ષ સ્થાને તથા ન.કૃ.યુ., નવસારીના માન.વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉ. એન. એમ. ચૌહાણ અને સંશોધન નિયામકશ્રી અને પી જી ડીન ડૉ. ટી. આર. અહલાવત અહેવાલત ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં કેવિકેના વૈજ્ઞાનિકો, તાપી જિલ્લાના ખેતીવાડી, બાગાયતી અને પશુપાલનના અધિકારીશ્રી તથા પ્રગતિશીલ ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકના અધ્યક્ષ તથા ન.કૃ.યુ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલ એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓનેતેમની આગવી શૈલીથી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ કૃષિ કેન્દ્રના વૈજ્ઞાનિકો જિલ્લાના છેવાડાના ગામોમાં જઈને કૃષિની આધુનિક યાંત્રિકતાઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડુતો સુધી પહોંચાડવા તેમજ જિલ્લાના દરેક ખેડુતો આ સંશોધનો વિશે અવગત થાય એ વિશે વૈજ્ઞાનિકોને કાર્યો કરવા સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે શેરડીના બિયારણ બનાવવા એક આંખના રોપા તૈયાર કરવા અંગે સૂચન કર્યું હતું. તેમજ ખેડૂતોનેઆવક વધારવા માટે ખેતી ખર્ચ ઘટે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. 

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.એમ.ચૌહાણ જણાવ્યું કે આ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ વ્યવસાયલક્ષી તાલીમો થકી સ્વ સહાય જૂથની બહેનો આત્મનિર્ભર બની છે તેમજ પોતાના કુટુંબને પણ આર્થિક રીતે મદદ કરી રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે કેવિકે તાપી દ્વારા વિકસાવવામાં આવેલ QR કોડ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના NAUSAGAR માધ્યમ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. 

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. સંશોધન નિયામકશ્રી ડૉ. ટી. આર. અહલાવત એ કૃષિક્ષેત્રે નવસારી કૃષિ યુનિવર્સિટીના ઘણા બધા સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા માટે કેવિકેના વૈવિધ્યપૂર્ણ કાર્યોને બિરદાવ્યા હતા. વધુમાં તેમણે કેવિકેના કાર્યોને વધુને વધુ ખેડૂત ઉપયોગી વિડીયો બનાવી સોસિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ કરવા બદલ બીરદાવ્યા હતા. 

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યા એ સભ્યશ્રીઓને આવકાર આપી વર્ષ ૨૦૨૨નો કેન્દ્રનો પ્રગતિ અહેવાલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. ડૉ. પંડ્યા એ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ તાલીમો, અગ્રિમ હરોળ નિદર્શન, જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ, સફળતાની વાર્તાઓ, ઇમ્પેક્ટ સ્ટડીઝ તેમજ કેન્દ્રએ મેળવેલ સિદ્ધિઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા વર્ષ ૨૦૨૩ના એન્યુઅલ એક્શન પ્લાનની પણ પણ સમજ આપી હતી અને સભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનોનો પણ એક્શન પ્લાનમાં સામેલ કરવામાં આવશે. સદર બેઠકમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો શ્રી પ્રતિકભાઇ ચૌધરી, બેડકુવાદુર તા. વ્યારા અને શ્રીમતી ઇન્દુબેન ચૌધરી, જામલીયા તા. ડોલવણ એ કેન્દ્ર વિશેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.  

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે ડૉ. એ. જે. ઢોડીયા વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

પત્રકાર : કીર્તન ગામીત, તાપી 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है