દક્ષિણ ગુજરાત

જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩ સહિત કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૭૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૯૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૦૯ થઈ:

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૨ (બે) દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪ દરદીઓને આજે રજા અપાઈ:

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૮ દરદીઓ અને વડોદરા ખાતે ૪ દરદીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ સહિત કુલ-૬૩ દરદીઓ સારવાર હેઠળ:

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૫,૩૧૦ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૦૧ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર:

રાજપીપલા, સોમવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૩ દરદીઓ સહિત કુલ-૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૭૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૯૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૦૯ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૨ (બે) દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૯૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૫૩ દરદીઓ સહિત કુલ-૭૪૬ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૪ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૮ દરદીઓ સહિત કુલ-૬૩ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૨૫, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૨૪ સહિત કુલ-૩૫૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૫,૩૧૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૩૫ દરદીઓ, તાવના ૨૭ દરદીઓ, ઝાડાના ૩૯ દરદીઓ સહિત કુલ-૧૦૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૪૮,૯૪૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૪૬,૪૨૮ લોકોને વિતરણ કરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है