દક્ષિણ ગુજરાત

મૌઝા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ- જન મન) કાર્યક્રમ યોજાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

મૌઝા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ- જન મન) કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના અઘ્યક્ષ સ્થાને યોજાયો:

મૌઝા ખાતે પીએમ- જન મન ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના ૯૮૮ લાભાર્થીઓને રૂ.૨૩૯.૭૪ લાખના યોજનાકિય લાભોનું વિતરણ કરાયુ.

પીએમ જન મન યોજના હેઠળ આદીમજુથના સમુદાય માટે મેડિકલ મોબાઇલ યુનિટને મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

 નેત્રંગ: પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ- જન મન) અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મૌઝા ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના અવ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમ નિમિત્તે આદિવાસી કુળદેવી દેવમોગરા માતા અને ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રિત-રિવાજ સાથે પૂજા-વિધિ કરાઇ હતી. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જીલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી સચિન કુમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને કોટવાડિયા આદીમજૂથો દ્વારા બનાવાયેલી વાસની કલાકૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મૌઝા સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત સરકાર નિર્મિત ફિલ્મનું નિર્દશન કરાયું હતું. આ વેળાએ, લાભાર્થી શ્રી વજીરભાઈ કોટવાળીયા દ્વારા યોજનાકિય પ્રતિભાવો આપ્યા હતાં.

રાજ્ય કક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા અને સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મજંયતિ ૧૫ નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ જનમન) મિશનની શરૂઆત કરી હતી.

પીએમ જનમન મિશનનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા આદિમ જૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાનો છે. આ મિશન અંતર્ગત આદિમ જૂથો (PVTG)ના કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનુ ચોખ્ખું પાણી અને સાફ સફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, માર્ગ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી પુરી પાડવા માટેનો છે. જે અંતર્ગત દેશના તમામ આદિમ જૂથના વિકાસ માટે પીએમ જનમન હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા રૂપિયા ૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આદિમ જૂથોના વિકાસ માટે સરકાર હંમેશા પ્રયાસરત રહી છે. જેના કારણે જ ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૧ હેઠળ વર્ષ ૨૦૦૭-૨૦૨૪ સુધીમાં તત્કાલીન માન.મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ “વનબંધુ કલ્યાણ” યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સિધ્ધીઓની ઝાંખી કરાવતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ માટે રૂ. ૧૫,૦૦૦/- કરોડના પેકેજની ફાળવણી કરવામાં આવી હતી.

આમ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની વિકાસ યાત્રામાં આદિવાસી બાંધવો સક્રીય ભાગીદાર બને, વિકાસના હક્કદાર બને અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે હેતુથી તેમજ આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલા આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાની નેમથી વર્ષ ૨૦૦૭માં શરૂ કરેલ સેતુરૂપ કાર્યક્રમ “વનબંધુ કલ્યાણ” યોજના થકી સફળ પ્રયાસ કર્યો છે. આમ અત્યાર સુધીમાં આદીમજૂથ માટે કુલ રૂ.૧,૦૨,૦૦૦ કરોડ કરતા વધારે રકમ વિવિધ વિકાસ કામો માટે ખર્ચ કરવામાં આવી છે. આમ તમામ ક્ષેત્રે વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશની વણથંભી વિકાસની વણઝાર પ્રવાહીત થઈ વિક્રમો મેળવી રહી છે.

આદિજાતિના કલ્યાણ માટે આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ અત્યાર સુધીમાં (૨૦૦૨-૦૩ થી ૨૦૨૩-૨૪ સુધી) સમયગાળામાં કુલ રૂ.૨૪૦૫૫.૦૦ કરોડ કરતા વધારે રકમ વિવિધ વિકાસ કામો માટે ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં ૨૬ ગણો (વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ.૧૦૦.૮૦ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩૩૧૦ કરોડ બજેટની જોગવાઈ) ઉત્તરો-ઉત્તર અંદાજપત્રીય જોગવાઇમાં વધારો થયો છે.વધુમાં તેમણે, પીએમ- જન મન અભિયાનનું સરવૈયું કરતા જણાવ્યું હતુ કે, નેત્રંગ તાલુકાના પાંચ ગામોમાં કોટવાડીયા સમુદાયના લોકો વસવાટ કરે છે. આદિમજુથના ૧૭૨ જેટલા કુટુંબોના ૮૪૭ લાભાર્થીઓને સમાજ સમકક્ષ બનાવવાના

પ્રયત્નનાં ભાગરૂપે ગણતરીના દીવસોમાંજ ૩૧૫ જાતિ પ્રમાણપત્ર પોઈન્ ટ ઓફ સેલ, ૫૮૪ લાભાર્થીઓને પી.એમ.જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલી આપવામાં આવ્યા છે. પી.એમ.માતૃવંદના યોજના અંતર્ગત કુલ ૧૦ સગર્ભા મહિલાને લાભ આપવામાં આવ્યો છે. વધુમાં, આરોગ્ય વિષયક સહાય સંદર્ભે ૪૨૩ આયુષ્યમાન કાર્ડ, ૧૫૨ રાશનકાર્ડ અને ૭૭૧ આદિમજુથ લાભાર્થીને આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે.

રિપોર્ટર : સર્જન કુમાર વસાવા , 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है