મારું ગામ મારાં ન્યુઝ

ઉચ્છલ-વાલોડ-સોનગઢના કેટલાક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા: તાપી જિલ્લામાં ઉચ્છલ સ્થિત નિશાળ ફળીયુ-૧ ઝરણપાડા અને પારસી ફળિયુ-૧ કરોડ, વાલોડમાં મોરા ફળીયુ પેલાડ બુહારી અને સોનગઢમાં સરપંચ ફળીયુ-૧ સાંઢકુવાના કેટલાક વિસ્તારમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી હાલાણીએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે ઉચ્છલ, વાલોડ અને સોનગઢના ઉપરોક્ત વિસ્તારોમાંથી તા.0૫/૦૪/૨૦૨૧થી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી ૧૭ ઘરની વસ્તી ૮૯ને કોવિડ-૧૯ કન્ટેઈનમેન્ટ તથા તેની આજુબાજુ નજીકના ૨૫ ઘરોની ૧૧૧ જેટલી વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.

કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારોમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન SOP મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.

કન્ટેઈનમેન્ટ/બફર ઝોન વિસ્તારોની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તથા સસ્તા અનાજની દુકાનો તથા આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તથા વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરેલ પાસધારકોને લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है