શિક્ષણ-કેરિયર

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ના પ્રવેશ માટેની તારીખ લંબાવાઇ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લા જાહેરજનતા જોગ:

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ના પ્રવેશ માટેની તારીખ લંબાવાઇ: 

આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે; 

વ્યારા-તાપી:  આથી તમામ પ્રવેશ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2023-24) માટે વહીવટીય કારણોસર ઓનલાઈન અરજી કરવાની તારીખ 15.02.2023 સુધી લંબાવવામાં આવેલ છે.           

 ઉમેદવાર www.navodaya.gov.in પર અને https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી વિનામૂલ્યે અરજી કરી શકે છે.

વધુમાં ઓનલાઈન સુધારા માટેની વિન્ડો 16 અને 17 મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે. નોંધાયેલ વિદ્યાર્થીઓના ડેટામાં ફક્ત જાતિ, (પુરુષ/સ્ત્રી), વર્ગ (સામાન્ય/ઓબીસી/એસ.સી./એસ.ટી.), ક્ષેત્ર (ગ્રામીણ/શહેરી), વિકલાંગતા અને પરીક્ષાના માધ્યમમાં જ સુધારો થઇ શકશે.  એમ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, જિ. તાપીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है