શિક્ષણ-કેરિયર

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાએ ન જતા ૬ થી ૧૮ વર્ષના બાળકોનો સર્વે યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાએ ન જતા ૬ થી ૧૮ વર્ષના બાળકોનો સર્વે યોજાશે: જાગૃત્ત નાગરિકોને સર્વેમાં સહભાગી થવા અપીલ:

વ્યારા: તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન-૨૦૨૨-૨૩ અંતર્ગત શાળાએ ન જતા તેમજ અધવચ્ચેથી શાળા છોડેલ બાળકો માટે તા.૧૦ થી ૩૦ જૂન દરમિયાન સર્વે યોજાશે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસ અને રેલ્વે સ્ટેશન, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બાળકો મળી આવે તો ગામ કે શહેરની નજીકની સરકારી પ્રાથમિક શાળા, તાલુકાના CRC/BRC ભવન અથવા સમગ્ર શિક્ષા અભિયાન જિલ્લા કચેરી-તાપીના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૧૩૦ ઉપર સંપર્ક કરવો , જેથી શાળા શિક્ષણથી વંચિત રહેલ શાળા બહારના બાળકોને શિક્ષણના નિરંતર પ્રવાહમાં સાંકળી શકાય. જાગૃત્ત નાગરિકોને શિક્ષણથી વંચિત બાળકોની જાણકારી આપી આ સર્વેમાં સહભાગી બનવા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-તાપીની યાદીમાં જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है