બ્રેકીંગ ન્યુઝ

નોવેલ કોરોના વાયરસ (COVID-19) નર્મદા જીલ્લાની આજની અપડેટ: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

નોવેલ કોરોના વાયરસ (COVID-19) અપડેટ: 

જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૨ (બે) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૧૨ પોઝીટીવ કેસ નોંધાયા:

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૪ દરદીઓને આજે રજા અપાઇ;

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૨ (બે) દરદીઓ અને હોમ આઇસોલેસનમાં ૨૦૮ દરદીઓ સહિત કુલ-૨૧૦ દરદીઓ સારવાર હેઠળ;

               રાજપીપલા, નર્મદા:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૭ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૨ (બે) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૪ દરદીઓને આજે રજા અપાઇ છે. રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૨ (બે) દરદીઓ અને હોમ આઇસોલેસનમાં ૨૦૮ દરદીઓ સહિત કુલ-૨૧૦ દરદીઓ સારવાર હેઠળ છે. 

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૭ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૧૯,૩૬૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના અને શ્વાસમાં તકલીફના કુલ-૦૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૭૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૦૨ સહિત કુલ-૧૧૮૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૯૦૫૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૩૬૭૪ લોકોને વિતરણ કરાઇ છે.                             

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है