બ્રેકીંગ ન્યુઝ

ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા BTTP વ્યારા તાલુકા સંગઠન દ્વારા રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ BTTP વ્યારા તાલુકા સંગઠન દ્વારા રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું, 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ના ઉચ્ચ અધીકારી નીલેશ દુબે ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ અસામાજિક માનસિકતા ધરાવતા વ્યક્તિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ માંગ ઠેર ઠેર ઉઠવા પામી છે, 

અત્રે આપવામાં આવેલ આવેદનપત્ર માં ઉલ્લેખ કરાયો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ના ઉચ્ચ અધીકારી નીલેશ દુબે અને CISF ના ઓફિસર શર્મા વચ્ચે ની વાતચીતનો ઓડીયો ક્લિપ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો, જેમા શર્માજી “યએ આદિવાસી લોગ હૈ પહેલે ખાનેકો નહીં મિલતા થા બહાર બેઠતે થે ચડ્ડી પહેન કે બેઠતે થે નોકરી લગ ગઈ તો પેન્ટ શર્ટ પહેનને લગે અભી વે જંગલ મે જડી બડ્ડી ખાનેવાલે લોગ હૈ ઈન્કો તેહજીબ નહિ હૈ” જેવા જાતિ વિષયક અપમાન જનક ટિપ્પણી કરી વૈમનસ્ય ફેલાવવાનું કામ કરેલ છે. જે અમારા પુર્વજોનું અને સમગ્ર આદિવાસી સમાજ નું અપમાન કર્યુ છે. જેના કારણે આદિવાસી સમાજના લોકોમાં ઘણો રોષ જોવા મળેલ છે.

નર્મદા જીલ્લો સંપુર્ણ આદિવાસી બહુલક વસ્તિ ધરાવતો જિલ્લો છે, સદર જીલ્લો અનુસુચિ-૫ હેઠળ આવે છે. છતાં સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે આવી વિકૃત માનશિકતા ધરાવતા અધિકારીઓને આ વિસ્તારમાં નિમણુંક આપવામાં આવે છે. આવા અધિકારીઓ કાયદાઓનો દુર ઉપોગકરી ને આદિવાસીઓને જળ, જંગલ, જમીન થી બેદખ કરવાનાં કામ કરે છે તથા આદિ અનાદી કાળથી ચાલી આવતી પોતાની વંશ પરંપરાગત સંસકૃતિ, રહેણીકરણી, ભાષા, રીતિ-રીવાજોને પાળવા બાબતે આદિવાસી સ્વતંત્ર છે જે અધિકારીશ્રી ને ખબર હોવી જોઈએ કે ભારતના બંધારણમાં કોઇપણ જાતિ વિશે ભેદભાવ રાખવો એ બંધારણ વિરુદ્ધ છે અને બંધારણનુ અપમાન એ દેશનુ અપમાન છે. અને સાથે સમાજની મુખ્યધારામાં જોડાય છે. અને જો એક ભણેલા અને ક્લાસ ૧ સરકારી અધિકારી આદિવાસી સમાજ વિશે આવી હલકી માનસિકતા ધરાવતા હોઈ તો આવા અધિકારી ને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે એવી અમારી સમગ્ર આદિવાસી સમાજ,ભારતીય ટ્રાયબલ ટાયગર સેના, વ્યારા વતી અમારી રજૂઆત છે. જો સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમયમાં આક્રોશ સાથે જન આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી ભારતીય ટ્રાયબલ ટાયગર સેના, વ્યારા તાલુકા સંગઠન દ્વારા રાજ્યપાલ મહોદય ને કરવામાં આવી હતી,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है