
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
બોગજ ગામના કાચા ઘરમાં આગજની, ઘરવખરી બળીને ખાખ: ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટી ની સુવિધા તાત્કાલિક તંત્ર દ્વારા પૂરી કરવા માંગ:
કોરોના કહેર વચ્ચે તાઉ’તે વાવાઝોડું કઈ ઓછુ હતું કે બોગજ ગામના એક કાચા ઘરમાં આગજની, ઘરવખારી બળીને ખાક: પરિવાર પર તુટ્યો દુ:ખનો પહાડ! ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ) ગામે આકસ્મિક રીતે કાચા ઘરમાં અચાનક આગ લાગવા પામી હતી, નજર સામે આખું ઘર બળી ને ખાક થઇ જવા પામ્યું… લોકો આવ્યા મદદે.
નર્મદા જીલ્લાના દેડીયાપાડા પંથકમાં આગની ઘટનાઓ વખતે લોકોએ રહેવું પડે છે ભગવાન ભરોસે! તંત્ર દ્વારા કોઈ આગવું પગલું નહિ ભરાઈ તો હજુ કેટલાં ઘરો થાશે સ્વાહા?
પ્રાપ્ત માહિતી અનુસાર બોગજ ગામના અશોકભાઈ જાતરિયાભાઈ વસાવા ના ઘરે તારીખ 1-6-2021 ના સવારના સવારના 8:30 કલાકના અરસામાં આકસ્મીક આગ લાગવાથી ઘર વખરી બળી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે પશુઓ ને નુકશાન થયું નથી.
આગ લાગવા થી અંદાજીત 87,000 રૂપિયા જેટલું નુકશાન થયુ હતું. જે બાબતે ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી ને સહાય બાબતે પંચાયત દ્વારા પત્ર લખ્યો હતો. જે બાબત ની જાણ મામલતદાર શ્રી ને પણ કરવામાં આવી હતી.
દેડીયાપાડા તેમજ સાગબારા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે. તંત્રને વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા તેમજ તાલુકામાં અગ્નિશામકના સાધનોના અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કાચા ઘર હોવાના કારણે આગ લગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.
પરિવારો અગ્નિ શામક તંત્રની રાહ જોઈ બેસે છે! કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા મુશ્કિલ પડી રહી છે, અને લોકોનું કહેવું છે કે તંત્ર વહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઇ યોગ્ય વળતર આપે, સાથે જ દેડીયાપાડા તેમજ સાગબારા નાં ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે એવું સ્થાનિકનું કહેવું છે.