
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડામાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા:
કોરોના મહામારી વચ્ચે રાજયભરમાં ઓક્સિજન ની અછત અને સારવાર અર્થે બેડ ની અછત ઉભી થઈ છે, તેવાં સજોગોમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડીયાપાડામાં અછત પોહચી વળવા તંત્ર બન્યું ઍલર્ટ..
હાલની કોરોનાની પ્રવર્તમાન પરસ્થિતિને ધ્યાને લઇ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, સાગબારા, ગરૂડેશ્વર અને દેડીયાપાડા ખાતે કોરોના પોઝિટીવ દરદીઓ માટે કોવિડ કેર સેન્ટર ખાતે જિલ્લાના કુલ-૯૨૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, દેડીયાપાડાની કૃષિ ઇજનેરી કોલેજ ખાતે-૧૬૮ અને સબ ડિસ્ટીક હોસ્પિટલ ખાતે-૦૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.