ક્રાઈમરાષ્ટ્રીય

વચગાળાના જામીન પરથી ફરાર કેદીને આણંદ જીલ્લામાંથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

બળાત્કારના ગુનામાં સજા ભોગવતા કેદી ને વચગાળાના જામીન પુરા થતાં હાલ  ફરાર જાહેર કરેલ  કેદીને આણંદ જીલ્લામાંથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ભરૂચ: પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર ના આ તરફથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી-આરોપીઓ ઝડપી પાડવ સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરા કેદી/આરોપી પકડવા સારૂ તજવીજ હાથ ધરેલ તે દરમ્યાન સચોટ બાતમી મળેલ કે ભરૂચ સબ જેલ ખાતે સજા ભોગવતા કાચા કામના કેદી ચીરાગભાઇ ઉર્ફે સંજય ઉર્ફે પીટુ નટવરભાઇ સોલંકી રહે, દેદરડા તા.બોરસ જી.આણંદનાને અંકલેશ્વર GIDC પો.સ્ટે. ગુ.ર.નં / ૧૫૯/૨૦૧૭ (એટ્રોસીટી કેસ નં. ૦૫/૧૮) ઇ.પી.કો. કલમ ૩૭૬, ૪૯૫, ૪૧૭ એટ્રોસીટી કલમ ૩ (૧) (આર) (એસ), ૩ (૧) ડબલ્યુ (૧) મુજબના ગુનાના કામે નામદા ચોથા એડિ. સેસન્સ (સ્પે.એટ્રોસીટી) કોર્ટ અંકલેશ્વર હુકમ ને :- ૭૧/૨૦ તા.૦૫/૦૩/૨૦૨૦ ના હુકમ અન્વયે તા. ૦૪/૦૩/૨૦૨૦ ના રોજ સવારના દશ વાગ્યાથી તા. ૦૮/૦૩ / ૨૦૨૦ ના રોજ સવારના દશ વાગ્યાન સમય માટે તા.૦૫/૦૩/૨૦૨૦ના રોજ જેલ મુક્ત કરવામાં આવેલ હતો. અને તા.૦૮/૦૩/૨૦૨૦ નારોજ તેને હાજર થવાનું હોય પરંતુ હાજર નહિ થતા વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ. જે આરોપીને તેની માસી સુરજબેન ફતેસિંહ પરમાર રહે. કુષ્ણનગર, જોળ (જોલ) તા.બોરસદ જી. આણંદ ખાતેથી આજરોજ તા.૨૨/૧૦/૨૦૨૦ ના રોજ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનિકલ સેલની મદદથી હસ્તગત કરવામાં આવેલ છે અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમ આરોપી નો covOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડિવિ પો.સ્ટેમાં સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથ અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો નિલેશભાઇ નારસિંગભાઇ તથા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથ અનિલભાઇ દિતાભાઇ તથા પો.કો. મયુરભાઇ ખુમાણભાઇ એલ.સી.બી ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામ આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है