
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા ના પાનખલા (શીશા) ખાતે બાળલગ્ન કરાવી એકબીજાની મદદગારી કરવા બદલ નરેંદ્રસિંહ ખિજલીયાભાઇ વસાવા , ખિજલીયાભાઇ દામરાભાઇ વસાવા, રામીબેન ખીજલીયાભાઇ વસાવા, પારતાભાઇ ભાંગાભાઇ વસાવા, જાગીબેન પારતાભાઇ વસવા, પારસિંગભાઇ પાકરીયાભાઇ વસાવા છ વ્યક્તિ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથક માં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુનિલભાઇ વજાભાઇ રાઠોડે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.