
શ્રોત: પ્રેસનોટ ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર ગામીત.
વ્યારા: વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. તાપીમાં કોરોનાએ ફરી માથું ઉચકતા સોનગઢનાં રાનીઆંબાને કન્ટેઇનમેન્ટ ઝોન કરાયો જાહેર!
જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારી વિસ્તૃત સુચનાઓ પણ બહાર પાડવામાં આવેલ છે.
તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં રાણીઆંબા ખાતેનાં બજાર ફળિયુ વિસ્તારમાં તા.૨૩/૦૬/૨૦૨૦નાં રોજ કોરોના વાયરસ COVID-19નો બે કેસ પોઝીટીવ આવેલ હોવાથી, આ રોગનું સંક્રમણ વઘુ ન થાય તે માટે સોનગઢ તાલુકાનાં રાણીઆંબા ખાતેનાં બજાર ફળિયુ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તથા તેની આસપાસ આવેલ ટાંકી ફળિયા વિસ્તારને બફર ઝોન જાહેર કરવા અંગે દરખાસ્ત કરવામાં આવેલ છે. જાહેર જનતા જોગ:
( શ્રી આર.જે.હાલાણી, (આઈ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર, અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૩૦ તથા ૩૪, તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાં અન્વયે,)
{અમલવારીનો સમયગાળો}
આ હુકમ તા.૨૩/૦૬/ર૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
{અપવાદ}
ઉપર જણાવેલ વિસ્તારો માટે નીચે મુજબના અપવાદ લાગુ પડશે:
• સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનો (સરકારી અને ખાનગી સહિત).
• આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલ વાહક વાહનો
• આ વિસ્તારમાં આવેલ આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા સસ્તા અનાજની દુકાનો
• આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર ઘ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ ઘારકો
{સજા}
આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી થી હેડ પોલીસ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવનાર તમામ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂઘ્ઘ આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અઘિકૃત કરવામાં આવે છે.