મારું ગામ મારાં ન્યુઝ

વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી સાદાઈ થી કરી કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

વર્ષોથી ઉજવવામાં આવતાં ”૯મી ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” નિમિતે આહવા ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેનાં ભાગરૂપે જાહેર સભા રાખવામાં આવી હતી, આ દરમિયાન સરકાર દ્વારા આદિવાસી સમાજના તેમના હક અને અધિકારો પર થઈ રહેલ આક્રમણ બાબતે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો.

તા.૯મી ઓગષ્ટ,૨૦૨૧ના રોજ આહવા ખાતે (સંયુક્ત રાષ્ટ્રસંઘ) ઘોષિત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી સમિતિ ધ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન હોલ, આહવા ખાતે ૧૧ થી ૩ કલાક દરમિયાન જાહેરસભા રાખવામાં આવેલ હતી. જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓની ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી અને તમામ લોકો મારફતે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો.

(1) વેદાંત ગ્રુપની હિંદુસ્તાન ઝીંક લિમિટેડ, કંપની કે જેને આપણા અને અન્ય દેશોએ પણ વિરોધ કરી કેટલીક જગ્યાએ બહાર કાઢી મુકેલ છે. આવી કંપની સાથે ગુજરાત સરકારે કરોડનો કોન્ટ્રાકટ કરી તાપી જિલ્લાના ડોસવાડા ગામમાં જી આઈ ડી સીની ૪૫૦ હેકટર જેટલી જમીન વેદાંતા કંપનીને આપેલ છે. આ જગ્યાએ કંપનીની સ્થાપના કરી કાચા ધાતુને પીગાળી ઝીંક બનાવી બહાર વેચવાની યોજના છે. જેમાં સ્થાનિક અસરગ્રસ્ત ૯૦ થી વધુ ગામોના સ્વાસ્થ્ય, ખેતી, હવા, પાણી જેવા સંશાધન પર સીધી અને આડકતરી રીતે અસર થવાની છે, જે બાબતનો લીધેલ નિર્ણય આપણા અધિકારો જેવા કે પેશા કાયદો-૧૯૯૬ મુજબ ગ્રામસભાની સત્તાથી ઉપર જઈને તેમજ પમી અનુસૂચિની બંધારણીય જોગવાઈ હોવા છતાં આદિવાસી સલાહકાર સમિતિમાં પણ તેની કોઈપણ ચર્ચા કરી કે ઠરાવ પ્રસાર કર્યા વગર સીધેસીધી રીતે પ્રોજેકટને લાવવામાં આવી રહેલ છે.

(2) નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં આપણાં ડાંગના ૨ આશાસ્પદ યુવાનોનું કસ્ટોડીયલ મૃત્યુ થયું ત્યારે પણ ફરિયાદ આપતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડયો અને ત્યાર પછી આરોપીઓ સામે એફ.આઈ.આર નોંધવામાં આવી.

આવી દરેક ઘટના પરથી ખ્યાલ આવે છે કે સરકારી ફરજ પરના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના ડી.કે.બાસુ વિરુધ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલના કેશમાં આપેલ ગાઈડલાઈન અને સામાન્ય નાગરીકોના કાયદાકીય બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલ,

(3) ફા. સ્ટેન સ્વામી કે જેઓ ઝારખંડના રાંચી જિલ્લાના ૮૪ વર્ષના નિઃસ્વાર્થ ભાવે આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે કામ કરતા આવેલ હતા, જેમના પર માઓવાદી અને નકસલવાદીનો ખોટો કેશ કરી ફસાવીને ૧ વર્ષ સુધી જેલમાં મુકવામાં આવેલ હતા અને કોરોના અને અન્ય ગંભીર બીમારી હોવા છતાં તેમની જામીન અરજી વારંવાર નામંજૂર કરવામાં આવેલ હતી અને છેલ્લે નાછૂટકે તેમને જયારે જામીન મળ્યા ત્યારે તેમની તબિયત ઘણી નાજક હોવાના કારણે મૃત્યુ પામ્યા.

(૪) વન અધિકાર કાયદો ૨૦૦૬ એ આદિવાસી સમાજ માટે ઐતિહાસિક કાયદો છે. અને આજ દિન સુધીની તેની અમલીકરણની મૂળ જવાબદારી કેન્દ્ર/રાજય અને જિલ્લા લેવલ પર આદિજાતિ વિકાસ મંત્રાલય વિભાગની મૂળ ભૂમિકા રહેલી હતી, તેમજ આ કાયદાના અમલીકરણમાં ખાસ કરીને સાહિક વન અધિકારોના સંદર્ભમાં ગામની ગ્રામસભાની મહત્વની ભૂમિકા હતી. અને વનવિભાગની ભૂમિકા પ્રતિવાદી તરીકે રહી હતી, પરંતુ હાલમાં તા.૬ જુલાઈ ૨૦૨૧ના રોજ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય અને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય મળીને સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે, વન અધિકાર કાયદાની અમલીકરણની પ્રકીયામાં અને ખાસ કરીને સામુહિક વન અધિકારોની પ્રકીયામાં જંગલખાતાની પણ ભાગીદારી રહેશે. અને વન સમિતિ અને જંગલખાતાના વર્કીંગ પ્લાન મુજબ જંગલનો વહીવટ અને વિકાસ કરવાનો રહેશે. એટલે કે વન અધિકાર કાયદાનો હેતુ અને નિયમોના વિરુધ્ધમાં જઈને હાલની સરકાર ધ્વારા આદિવાસી સમાજને મળતાં અધિકારોથી ફરીથી વંચિત રાખવાનું આ એક સુનિયોજિત કાવતરૂ ચાલી રહેલ છે, એવું સભાના વક્તવ્ય માં આગેવાનો દ્વારા લોકોને સમજ અપાઈ હતી,

આમ સમગ્ર કાર્યક્રમ સરેશભાઈ માહલા, ડિ.એ.જી.પટેલ, મકેશભાઈ પટેલ, રાજભાઈ વસાવા, મહેશભાઈ આહીરે, રોશનભાઈ સરોલીયા, લક્ષ્મણભાઈ બાગુલ, નિલેશભાઈ ઝાંબરે, લહાનુભાઇ દળવી જેવા સામાજિક કાર્યકરો ધ્વારા એકત્ર થયેલ સભામાં વકતવ્ય આપવામાં આવેલ હતું.  કાર્યકર્મ ની આખરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધવલીધોડ ગામના યુવા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો તેઓ એ સૌને મંત્રમુગ્ધ કરી ધીધા હતા, આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ ગામીત ધ્વારા કરવામાં આવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है